પાકિસ્તાનના કરાચીમાં થયેલા વિસ્ફોટમાં 10 ના મોત થયાં છે.
પાકિસ્તાનના કરાચીમાં વિસ્ફોટ
10 લોકોના કમકમાટીભર્યા મોત
લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા લોકો
શનિવારે મોડી રાત્રે કરાચીના મવાચ ગોઠ વિસ્તારમાં એક મીની ટ્રકમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વિસ્ફોટની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટ એક મીની ટ્રકમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં થયો હતો.
લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા લોકો
પાકિસ્તાની અખબાર ડોન અનુસાર, ટ્રકમાં 20-25 લોકો હતા. તમામ મુસાફરો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.
પોલીસે હાથ ધરી તપાસ
સિલિન્ડર બ્લાસ્ટનું કારણ શું છે તે અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે. કરાચીના પ્રશાસક મુર્તઝા વહાબે ઘટનાની વિગતો માંગી છે અને આ મામલાની ઝડપથી તપાસ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક વાનમાં એક ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયા બાદ તે મિની બસ સાથે ટકરાઈ હતી. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા.