પાકિસ્તાનમાં ઈમરાન સરકાર પર વિપક્ષે માછલા ધોવાનું શરૂ કર્યું છે, કારણ ઈમરાન ખાન દેશમાં મોંઘવારી કાબૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે, ઉપરાંત દેશને ચલાવવા માટે સતત ભીખ માગી રહ્યા છે.
પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી
ઈમરાન ખાન પર વિપક્ષે માછલા ઘોયા
ચારેબાજૂ થઈ રહ્યો છે ફજેતો
પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-જરદારીએ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. બિલાવલે કહ્યું કે, ઈમરાન ખાન રાજીનામુ આપી દે અને વિધાનસભા ભંગ કરે નહીં તો અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તામાંથી બેદખલ થવા માટે તૈયાર રહે. રિપોર્ટ અનુસાર જોઈએ તો, લાલામુસામાં અવામી માર્ચના સપોર્ટ્રર્સને સંબોધન કરતા પીપીપી નેતાએ સોમવારે કહ્યું કે, પાકિસ્તાન તહરીકે ઈંસાફ સરકારની સાથે ઈમરાન ખાનને પણ તમામ લોકતાંત્રિક રીતે પૈકિંગ માટે મોકલવામાં આવશે.પીપીપી નેતાએ કહ્યું કે, ચૂંટાયેલા ઈમરાન એટલા ડરેલા છે કે, તેમણે પોતાના રાજકીય વિરોધીઓને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું છે.
ઈમરાન ખાનને કહ્યા કઠપૂતળી પ્રધાનમંત્રી
ઈમરાન ખાન સરકાર અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની વચ્ચે કથિત સાંઠગાંઠનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, દેશે સરકારની આર્થિક નીતિઓને ફગાવી દીધી છે અને પીટીઆઈએમએફનો વિરોધ કરી રહ્યા છે. મીડિયામાં જણાવ્યા અનુસાર દેશમાં આર્થિક સંકટ માટે 'કઠપૂતળી' પ્રધાનમંત્રીને દોષિત ઠેરવતા બિલાવલે કહ્યું કે, આમ આદમી મોંઘવારીની સુનામીમાં ડૂબી રહ્યો છે.
ઈમરાન ખાન સરકારે દેવા માટે ભીખ માગી
પીપીપી નેતાએ કહ્યું કે, ઈમરાન ખાન સરકારે દેવા માટે ભીખ માગી, જે પહેલા લીધેલા દેવા કરતા ત્રણ ગણુ વધારે છે. તેમણે કહ્યું કે, લોકો હવે તેમની ભૂલોનો બોઝ વેઠી રહ્યા છે. બિલાવલે કહ્યું કે, પિંડીના શેખ રાશિદ અહમદે કહ્યું કે, ઈમરાન ખાન હટ્યા બાદ ઘરે નહીં બેસે. તે સાચુ છે કારણ કે, ઈમરાન ખાન જેલના સળીયા પાછળ હશે. તેમને વિદેશી ફંડીગ મામલે જવાબદાર ઠેરવવામાં આવશે.
જેમ કે, પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યું છે, વિપક્ષી પાર્ટીઓએ ઈમરાન ખાન સરકાર તરફથી ઘોષિત રાહતને અપર્યાપ્ત ગણાવ્યું છે. તે સતત પાકિસ્તાની પ્રધાનમંત્રી પર દબાણ બનાવી રહ્યા છે. વિપક્ષી દળ ઈમરાન ખાનને સત્તામાંથી બેદખલ કરવા માટે તેમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને અંદરખાને નફરતની હવા આપી રહ્યા છે. જો કે, ઈમરાન ખાને આ પ્રસ્તાવને નિષ્ફળ થવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, તેને નિષ્ફળ થવા પર વિપક્ષને પરિણામ ભોગવવું પડશે.