જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન છંછેડાયું છે. પાકિસ્તાને ભારત સાથેના રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કર્યો છે. રાષ્ટ્રીય સુરક્ષ સમિતિ (NSC)ની બેઠક બાદ પાકિસ્તાને નિર્ણય કરતા ભારત સાથેના દ્વિપક્ષીય વ્યાપાર પર રોક લગાવી દીધી છે.
આ સાથે પાકિસ્તાને ભારત સાથે તમામ વ્યાપારી સંબંધો તોડી નાંખ્યા છે. જ્યારે હવે પાકિસ્તાન ભારત સાથે દ્વિપક્ષીય સમજુતીની સમીક્ષા કરશે. સાથે જ કાશ્મીર મામલાને યૂએનમાં લઇ જવાની પાકિસ્તાને ધમકી આપી છે.ન્યૂઝ એજન્સી એએફપી મુજબ પાકિસ્તાને ભારતના રાજદૂતને નિષ્કાસિત કર્યા છે.
ઇમરાન ખાનની આગેવાનીમાં ઇસ્લામાબાદ સ્થિત વડાપ્રધાન કાર્યાલયમાં નેશનલ સિક્યોરિટી કમિટીની બેઠક થઇ. જેમા આર્ટિકલ 370ને હટાવવાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. પાકિસ્તાન નેશનલ સિક્યોરિટી કમિટીએ આ બેઠકમાં કેટલાક નિર્ણયો લીધા.
"Pakistan expels Indian envoy, suspends trade over Kashmir: Pakistan govt," reports AFP News Agency pic.twitter.com/TcB0HI1yrb
તેમા ભારત સાથે કૂટનીતિક સંબંધોને ઓછા કરવા, દ્વિપક્ષીય વ્યાપાર સંબંધોને ખતમ કરવા અને દ્વિપક્ષીય વ્યવસ્થાઓની સમીક્ષા કરવું સામેલ છે. પાકિસ્તાની સૂત્રો મુજબ સરકાર ભારતમાં પોતાના રાજદ્વારી ન મોકલવાનો નિર્ણય લઇ શકે છે. જેમણે આ મહીને ચાર્જ લેવાનો હતો. આ ઉપરાંત પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારી અજય બિસારીયાને પણ પાકિસ્તાન છોડવા કહેવામાં આવી શકે છે.
Pakistan Sources: Government of Pakistan to not send its High Commissioner designate to India who was to take charge later this month. Pakistan may also ask Indian High Commissioner to Pakistan Ajay Bisaria to leave Pakistan pic.twitter.com/Ur0iJl5Xyl
આ પહેલા મંગળવારે નેશનલ એસેમ્બલીના સંયુક્ત સત્રને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યું હતું કે, 'હું પહેલા જ એ અનુમાન લગાવી શકું છું કે તે અમારા પર ફરીથી વાર કરવાનો પ્રયાસ કરશે. એમણે ફરીવાર આપણા પર હુમલો કરી શકે છે અને અમે ફરીથી જવાબી કાર્યવાહી કરીશું.' ઇમરાન ખાને કહ્યું કે, 'ત્યારે શું થશે? એ આપણા પર હુમલો કરશે અને આપણે જવાબ આપીશું, યુદ્ધ બંને તરીકે થઈ શકે છે. પરંતુ જો અમે યુદ્ધ લડીશું તો અંતિમ શ્વાસ સુધી લડીશું. એ યુદ્ધ કોણ જીતશે? કોઇ નહીં જીતે.'