પાકિસ્તાન વિદેશ મંત્રાલયના સચિવ સોહેલ મહમૂદે અમેરિકન અંડર સેક્રેટરી ડેવિડ હેલે સાથે વર્ચ્યુઅલ મિટિંગમાં વાતચીત કરી હતી અને ભારત સાથે તણાવ ઓછો કરવાના મામલે અમેરિકન મદદની અપીલ કરી હતી.
પાકિસ્તાને ફરી માંગી અમેરિકાની મદદ
કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા માટે માંગી સહાયતા
પાકિસ્તાની અખબાર ડૉનનો દાવો
કાશ્મીર મુદ્દે વિશ્વભરનું શરણું શોધતા પાકિસ્તાને આજે ફરી એકવાર અમેરિકન તરણું મોંમાં પકડયું છે. પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મેહમૂદે અમેરિકી અધિકારીઓ સાથે કાશ્મીર મુદ્દે વાતચીત કરી હતી અને તેમની સહાયતા માંગી હતી. સોહેલે યુએસ અન્ડર સેક્રેટરી ડેવિડ હેલે સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી અને ભારત સાથે તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી.
ત્રીજા પક્ષની મધ્યસ્થતાને ભારત હંમેશા નકારતું આવ્યું છે
જો કે, શરૂઆતથી જ આ મુદ્દે ભારતનો સ્પષ્ટ મત છે અને તેણે પહેલેથી જ કહ્યું છે કે કોઈ પણ દ્વિપક્ષીય મુદ્દા પર ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂર નથી. આ અગાઉ પણ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકાની મુલાકાત દરમિયાન કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની અપીલ કરી હતી. ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે જો બંને દેશો ઇચ્છે તો તેઓ મધ્યસ્થી કરવા તૈયાર છે. જો કે ભારતે તેને સંપૂર્ણ રીતે નકારી દીધું હતું, અને કહ્યું હતું કે ''જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનું સમર્થન અને સંરક્ષણ બંધ નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત કરવી શક્ય નથી.''
પાકિસ્તાને ભારતના સૈન્ય ઘેરાબંદીને આક્રમક ગણાવી ફરિયાદ કરી
પાકિસ્તાનના અખબાર ડૉનના અહેવાલ મુજબ, સોહેલ મહમૂદે અમેરિકાને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન માટે અને તણાવ ઘટાડવા માટે કદમ ઉઠાવવા આવશ્યક છે. પાકિસ્તાને એમ પણ કહ્યું હતું કે કાશ્મીરમાં ભારતની સૈન્ય ઘેરાબંદી અને પાકિસ્તાન સામે આક્રમક કાર્યવાહી શાંતિ અને સલામતી માટે જોખમરૂપ છે. જો કે, સત્ય એ છે કે પાકિસ્તાન જ એ દેશ છે જએ વારંવાર loc પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરે છે.
પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથેના સંબંધોને પણ બગાડ્યા હતા
તાજેતરમાં પાકિસ્તાનના સાઉદી અરેબિયા સાથેના સંબંધોમાં પણ ઓટ આવી છે. ઉલ્લેખનીય છે કે હજી થોડા સમય પહેલા પાકિસ્તાનને દેવાળિયું થતું બચાવવા માટે સાઉદી દ્વારા તેને લગભગ 3 અબજ ડોલરની સહાય કરવામાં આવી હતી. જો કે તાજેતરમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે સાઉદીને ઈસ્લામિક દેશોના સંગઠન oicની બેઠક બોલાવવા અનુરોધ કર્યો હતો. જેની સાઉદી અરેબિયાએ ઘસીને ના પડી સીધી હતી.
પાકિસ્તાને કરી હતી સાઉદીની ટીકા
સાઉદી ભારતનું એક મોટું વ્યાપારિક પાર્ટનર છે, સાઉદીના પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું ભારત મોટું માર્કેટ છે, સાઉદી ભારત સાથે વ્યાપક સંબંધો ધરાવતું હોવાથી તેણે પાકિસ્તાનને આ બાબતે મનાઈ ફરમાવી હતી. જએ બાદ પાકિસ્તાનના વહીવટી તંત્ર દ્વારા સાઉદીની ટીકા કરવામાં આવી હતી અને આ બાદ બંને દેશોના સંબંધો બગડ્યા હતા. આ બાદ સાઉદી પાકિસ્તાનને વધી આર્થિક સહાય આપવા પર રોક લગાવી દીધી હતી અને અહેવાલો હતા કે સાઉદી એ પાકિસ્તાનની ઓઇલ સપ્લાયને પણ રોકી દીધી હતી. આ ઘટનાક્રમનો અંજામ આખરી અંજામ એ આવ્યો હતો કે સાઉદી એ પોતાની સહાયનો હપ્તો વહેલા માંગી લેતા પાકિસ્તાન પાસે તેને ચૂકવવા માટે પૈસા નહોતા. અને તે માટે નાદાર પાકિસ્તાને ચીન પાસેથી લોન લઈને સાઉદીની લોનની ચુકવણી કરી હતી.
હાલ શું છે પરિસ્થિતિ?
પાકિસ્તાન સાથે ભારતના સરહદ વિવાદ સહિત અન્ય મુદ્દાઓ પર વાટાઘાટો લાંબા સમયથી બંધ છે. ભારત આ નીતિ પર અડગ છે કે પાકિસ્તાન સાથેની વાટાઘાટો ત્યારે જ ફરી શરૂ થશે જ્યારે તે આતંકવાદી પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે રોકશે. ભારતનું કહેવું છે કે બંને દેશો વચ્ચે સંવાદ અને આતંકવાદ એક સાથે થઈ શકતા નથી. પાકિસ્તાને પહેલા સરહદ પર આતંકવાદી પ્રવૃતિઓ બંધ કરવી જોઈએ પછી વાતચીત માટે આગળ વધવું જોઈએ.