પાકિસ્તાનની અસલીઅત ફરી સામે આવી છે. ફરી એક વખત નાપાક પાકિસ્તાને ભારતીય રાજદૂત સાથે અમાનુષીભર્યું વર્તન કર્યું છે. પાકિસ્તારમાં તૈનાત ભારતીય રાજદૂત અજય બિસારિયાને શુક્રવારના રાવલપિજી પાસે ગુરુદ્વારા પંજા સાહેબમાં દર્શન કરતા રોકવામાં આવ્યા હતા.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયની પરવાનગી હોવા છતાં બિસારિયાને પાક અધિકારીઓએ ગુરુદ્વારામાં જવા દીધા ન હતા. જોકે આ પ્રકારની એક જ વર્ષમાં આ બીજી ઘટના છે.
મહત્વનું છે કે ભારતીય રાજદૂત બિસારિયા પોતાનો જન્મ દિવસ હોવાથી પત્ની સાથે ગુરુદ્વારા પંજા દર્શન માટે પહોંચ્યા હતા. પરંતુ પાકિસ્તાની અધિકારીઓના આ પ્રકારના વ્યવહારથી તે દર્શન કરી શક્યા ન હતા.
ધાર્મિક યાત્રા પર નક્કી પાકિસ્તાન-ભારત પ્રોટોકોલ હેઠળ ભારતીય શિખ તીર્થયાત્રી દર વર્ષે ખાસ ધાર્મિક પર્વો પર પાકિસ્તાન જાય છે.
પાકિસ્તાને શુક્રવારે કહ્યું હતું કે લાહોર સ્થિત ગુરૂદ્વારા ડેરા સાહેબમાં મહારાણા રંજીત સિંહની પુણ્યતિથિ પર 21થી 30 જૂન 2018 વચ્ચે ભારતના 300થી વધુ તીર્થયાત્રિઓના વીઝા મંજૂર કર્યા છે.