પાકિસ્તાનમાં બલૂચિસ્તાનનાં લાસબેલામાં એક બસ ખીણમાં પડી જતાં આશરે 39 લોકોનું મોત થયું છે.
બલૂચિસ્તાનનાં લાસબેલામાં બસનું અકસ્માત
બસ ખીણમાં પડતાં 39 લોકોનું મોત
17 શવોને શોધી હોસ્પિટલ ખસેડાયા છે
પાકિસ્તાનનાં બલૂચિસ્તાનમાં મોટી ઘટના બની છે. પાકિસ્તાનનાં અધિકારીઓએ જણાવ્યું કે બલૂચિસ્તાનનાં લાસબેલામાં બસ ખાઈમાં ઊથલી પડતાં આશરે 39 લોકોનું મોત સર્જાયું છે. સૂત્રો અનુસાર બસની ઝડપ ઘણી વધારે હતી.
બસ ક્વેટાથી કરાંચી જઈ રહી હતી
લાસબેલાનાં સહાયક આયુક્ત હમજા અંજુમે આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું કે આશરે 48 યાત્રિકોને લઈને બસ ક્વેટાથી કરાંચી જઈ રહી હતી. તેમણે કહ્યું કે બસની તેજ ઝડપનાં કારણે લાસબેલાની પાસે યૂ-ટર્ન લેતા સમયે બસ પુલનાં થાંભલા સાથે અથડાઈ. ત્યાર બાદ બસ એક ખાડામાં જઈને પડી અને બસમાં આગ લાગી ગઈ.
At least 39 people were killed after a passenger coach fell into a ravine in Balochistan’s Lasbela, reported Pakistan's Dawn News citing officials
મૃતકોની સંખ્યામાં થઈ શકે છે વધારો
અસિસ્ટન્ટ કમિશ્નર અંજુમે જણાવ્યું કે એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને જીવિત બચાવી લેવાયા છે. જો કે તેમણે આશંકા દર્શાવી કે મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. આ સાથેડ એધી ફાઉન્ડેશનનાં સાદ એધીએ જણાવ્યું તે દુર્ઘટના સ્થળથી અત્યાર સુધી 17 શવો મળી આવ્યાં છે અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે.
More than 30 people burnt alive after a passenger bus fell off a bridge and caught fire in the wee hours of Sunday. The unfortunate incident happened in Lasbela District district of Balochistan province of Pakistan. 15 charred dead, retrieved so far, are beyond recognition. pic.twitter.com/zYXjjSOHZy
પાકિસ્તાનમાં અનેક રોડ એક્સીડેન્ટનાં બનાવો
જર્જર હાઈ-વે, નબળાં સેફ્ટીનાં ઉપાયો અને બેદકારીપૂર્વકની ડ્રાઈવિંગનાં લીધે પાકિસ્તાનમાં અનેક રોડ એક્સિડેન્ડ સર્જાયા છે. યાત્રી બસોને ક્ષમતાથી વધુ ભરવામાં આવે છે અને સીટબેલ્ટનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી જેના કારણે એક જ વાહનનાં અકસ્માતથી ઘણાં લોકોનું મૃત્યુ સર્જાય છે.WHO અનુસાર 2018માં પાકિસ્તાનમાં રોડ પર 27000 થી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં.