જવાનીના દથરથે વૃદ્ધ અને નેત્રહીન માબાપને તીર્થ કરાવવા નીકળેલા શ્રવણ કુમારને ભૂલથી તીર મારી દીધુ હતું. ઘડિયાળનો કાંટો ફરે છે તેમ પાકિસ્તાનમાં એક ચક્ર ફરી રહ્યું છે. આ વાતને બે તસવીરોથી સમજીએ.
વર્ષ 2014, ઇમરાન ખાન વિપક્ષમાં હતા. ઇમરાન અને તેમની પાર્ટી 'તહરીક એ ઇન્સાફ' એ સમયે વજીર રહેલા નવાજ શરીફ વિરુદ્ધ એક માર્ચ નીકાળી. તેને નામ આપ્યું 'આઝાદી માર્ચ'. આ 'આઝાદી માર્ચ'ને આઝાદી જોઇતી હતી નવાજ અને તેમની સરકારથી. ઇમરાનનો આરોપ હતો, 2013ની ચૂંટણીમાં નવાજે ધાંધલી કરી છે. ઇમરાન અને તેમના સમર્થક લાહૌરથી ઇસ્લામાબાદ પહોંચ્યા. ખુબ જ હંગામો થયો. હિંસા પણ થઇ. ઇસ્લામાબાદમાં એક ડેમોક્રેસી ચોક છે. ત્યાં જ ડેરો નાંખ્યો હતો ઇમરાને. 120 દિવસો સુધી પ્રદર્શન કરતા રહ્યા. જાણે આખુ ઇસ્લામાબાદ થંભી ગયું.
તારીખ 27 ઓક્ટોબર 2019, ઇમરાન ખાન વજીર છે પાકિસ્તાનના. હવે તેમના વિરુદ્ધ એક માર્ચ નીકળી છે. નવાઇ લાગે તેમ તેનુ નામ પણ છે 'આઝાદી માર્ચ'. કરાચીથી નીકળીને 31 ઓક્ટોબરે આ માર્ચ પહોંચી ઇસ્લામાબાદ. આ માર્ચને શરૂ કરી છે મૌલાના ફજલુર રહમાન. જેમની પાર્ટી છે 'જમાત ઉલેમા એ ઇસ્લામ' (JUI-F). અહીં રસપ્રદ વાત એ છે કે, આ માર્ચમાં નવાજ શરીફની 'પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ' પણ સામેલ છે. આ લોકો ઇમરાન ખાનના રાજીનામાની માંગ કરી રહી છે. તેમનો આરોપ છે કે, ઇમરાન ચૂંટણીમાં ધાંધલી અને ખોટા પરિણામની મદદથી સત્તામા આવ્યા છે.
શું છે આઝાદી માર્ચ?
તેમા JUI-F અને PML-N ઉપરાંત પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) અને આવામી નેશનલ પાર્ટી (ANP) સહિત વિપક્ષનો એક મોટો ભાગ સામેલ છે. આ ઉપરાંત મદરેસાના હજારો વિદ્યાર્થીઓ પણ સામેલ છે આ રેલીમાં. આ માર્ચમાં કાર અને ટ્રકોનો મોટી સંખ્યામાં જોડાયા છે.
વિપક્ષનો આરોપ છે કે 2018માં જે ચૂંટણી જીતીને ઇમરાન ખાન વડાપ્રધાન બન્યા, તે નકલી હતી. જેયુએલએફના લીડર ફજલુર રહમાને જુલાઇ 2019માં ઇમરાનના રાજીનામાની માંગ કરી. તેમણે કહ્યું કે, કાં તો ખુદ સત્તા છોડી દો અથવા સંઘર્ષ માટે તૈયાર રહે. ફજલુર બર્બાદ અર્થવ્યવસ્થા પર ઇમરાન ખાનને ઘેરી રહ્યા છે. વિપક્ષે ચેતવણી આપી છે કે ઇસ્લામાબાદમાં ત્યાં સુધી ધરણા કરીશું, જ્યા સુધી ઇમરાન ખાનને હટાવી નથી દેતા. તેમની મુખ્ય માંગ છે.
વડાપ્રધાન ઇમરાન ખાનનું રાજીનામુ
ફરીથી ચૂંટણી
સેના તરફથી કોઇ દખલ નહીં
બંધારણમાં ઇસ્લામ સાથે જોડાયેલા જે નિયમ-કાયદા છે, તેમની સંપૂર્ણ રક્ષા કરવી
તમામ રાજનૈતિક પ્રતિબંધોને મુક્ત કરવા
આ માર્ચનો કાશ્મીર સાથે શું છે કનેક્શન ?
આ જે પ્રોટેસ્ટ છે, તેણે ખુદને કાશ્મીર સાથે સોલિડેરિટી બતાવવાની જવાબદારી પણ આપી છે. ફજલુર રહમાન બોલ્યા, આ વિચારીને માર્ચ શરૂ કરવા માટે 27 ઓક્ટોબરની તારીખ પસંદ કરાઇ છે. 26 ઓક્ટોબર 1947ના દિવસે એ સમયે જમ્મૂ કાશ્મીરના રાજા હરિ સિંહે પોતાની સત્તાનો ભારતમાં વિલય કરી દીધો. ત્યારબાદના દિવસે એટલે કે 27 ઓક્ટોબરે ભારતીય સેના કાશ્મીરમાં ઘુસી. ત્યાં થયેલા પાકિસ્તાની હુમલાનો સામનો કરવા માટે. પાકિસ્તાન આ દિવસનો શોક મનાવે છે. અને દર વર્ષે આ તારીખને 'બ્લેક ડે' મનાવે છે. ફજલુર રહમાન અને આ 'આઝાદી માર્ચ'માં તેમની સાથે સામેલ વિપક્ષનું કહેવું છે કે આ પ્રોટેસ્ટનો એક દિવસ કાશ્મીરના નામે છે કાશ્મીરીઓ સાથે એકજુટતા બતાવવાના નામે છે.
સરકાર અને વિપક્ષમાં શું ડીલ થઇ છે?
'આઝાદી માર્ચ' શરૂ થવામાં પહેલા સરકાર અને વિપક્ષ વચ્ચે એક સમજુતી થઇ છે. તેમા માર્ચ સાથે જોડાયેલા 'ટર્મ્સ એન્ડ કંન્ડિશન્સ' નક્કી કરવામાં આવ્યા. સરકારે કહ્યું, જ્યાં સુધી પ્રદર્શનકારો શાંતિથી વિરોધ કરશે, કાનૂન નહીં તોડે. ત્યાં સુધી સરકાર કોઇ અવરોધ નહીં નાંખે. વિરોધીઓએ પણ વચન આપ્યું છે કે, તે ઇસ્લામાબાદથી 'રેડ ઝોન' માં નહીં ઘુસે. 'રેડ ઝોન' ઇસ્લામાબાદનો એ વિસ્તાર છે, જ્યાં સંસદ છે.વિદેશી દૂતાવાસ છે. સરકારી અને મિલિટરી ઇમારત છે.
મૌલાના ફજલુર રહમાનની ઓળખ ઇસ્લામિક કટ્ટરપંથ સાથે જોડાયેલી છે. તેમનું કનેક્શન તાલિબાન સાથે રહ્યું છે. તે ખુલીને તાલિબાનનો સપોર્ટ કરે છે. આ કારણે આ આખી મુવમેન્ટને કટ્ટરપંથી કરેક્ટર મળ્યું છે. આ માર્ચમાં મૌલાના સાથે 2 લાખ લોકો જોડાયા છે. આમ તો આ આ 'આઝાદી માર્ચ' શાંતિથી થતી દેખાઇ રહી છે. પ્રદર્શનકારો કાનૂન તોડી રહ્યા નથી. હિંસા કરી રહ્યા નથી. પરંતુ વિરોધ કરી રહેલા લોકોનો પ્રોગ્રામ લાંબો દેખાઇ રહ્યો છે. કહી રહ્યા છે કે, જ્યાં સુધી ઇમરાન ખાન રાજીનામુ નથી આપતા પ્રદર્શન ચાલશે.