પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. આ જવાનોની શહાદતમાં આખો દેશ જોડાયો હતો. આ આતંકવાદી હુમલાની જવાબદારી જૈશ-એ-મહમ્મોદે સ્વીકારી હતી. આ આતંકી સંગઠનને પાકિસ્તાન છાવરી રહ્યું છે. તેમ છતા તેઓ કોઈ પગલા ન લેતા હતા. તેને ધ્યાને રાખીને ભારત હવે એક્શન મોડમાં છે ત્યારે ગભરાયેલું પાકિસ્તાન ભારત પર ખોટા આક્ષેપ કરી રહ્યું છે.
આંતવાદી સંગઠનને પાકિસ્તાનમાં બેસીને ચલાવતો આતંકી મસૂદ અઝહર પુલવામા હુમલાનો જવાબદાર છે. આ મામલે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની ભારતીય સરકારે વાત કરી છે. આ આતંકવાદી હુમલા બાદ પોતાના તરફથી પ્રતિક્રિયા આપવા માટે પાકિસ્તાની સેનાએ એક પ્રેસ કોન્ફેન્સ કરી હતી. આ પરિષદને પાકિસ્તાની સેના તરફથી જનરલ આસિફ ગફૂરે સંબોધી હતી. પુલવામા આતંકવાદી હુમલાને લઇને પાકિસ્તાનનો બચાવ કરતા જનરલ જણાવે છે કે, પુલવામા થયેલા આતંકવાદી હુમલાથી પાકિસ્તાનને કોઇપણ જાતનો ફાયદો થયો નથી. ચૂંટણી પહેલા આ પ્રકારની ઘટના ઘટે છે અને ભારત પાસે પાકિસ્તાન વિરુદ્ધ કોઇપણ જાતના પુરાવા ન હોવા છતા પણ પાકિસ્તાન સામે આરોપ લગાવે છે.
જ્યારે આ નિવેદન આપવાને લઇને પાકિસ્તાન દ્વારા કેમ વાર કરવામાં આવી? તેવા સવાલના જવાબમાં તેને કહ્યું કે, આ મામલે જવાબ આપવામાં વાર લાગવા પાછળનું કારણ એ છે કે, આ મામલે કોઇપણ જાતનું નિવેદન આપતા પહેલા તેની તપાસ કરવામાં આવી હતી. હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પાયમાલ કરવા માટે અનેક પગલાં ઉઠાવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર PoKમાં 40 ગામો ખાલી કરાવવામાં આવ્યા અને 127 ગામોમાં એલર્ટ જાહેર કરાયા છે. આ સીવાય લોકોને ટોળામાં નહીં ઉભા રહેવા અને બંકર બનાવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. આમ પાકિસ્તાન વિશ્વમાં ખુલ્લુ પડ્યું હતુ તેમ છતા તે આ પ્રકારે ભારત સામે જુઠ્ઠાણુ ફેલાવી રહી છે.