શ્રીલંકા અને પાકિસ્તાને ઉત્તરીય મધ્ય પ્રારંતમાં સલિયાપુરામાં સંયુક્ત 15 દિવસનો યુદ્ધાભ્યાસ કરતા ભારતની ચિંતા વધી છે.
પાકિસ્તાની સેનાએ શ્રીલંકાની સાથે મળીને કર્યો 15 દિવસનો યુદ્ધાભ્યાસ
હિંદ મહાસાગરમાં પાકિસ્તાન અને શ્રીલંકાના મજબૂત સંબંધો
તાજેતરમાં શ્રીલંકન સેના પ્રમુખ પાકિસ્તાન ગયા હતા
પાકિસ્તાની સેનાની એક ટૂકડી લગભગ 15 દિવસ સુધી શ્રીલંકાના દરિયામા રહી હતી અને આ યુદ્ધાભ્યાસ કર્યો હતો. શ્રીલંકા અને પાકિસ્તાનના મધૂર સંબંધો ભારત પર નકારાત્મક અસર પાડી શકે છે. આ નવા સંબંધોથી હિંદ મહાસાગરમાં ચીનને વધારે તાકાત મળી શકે છે.
પાકિસ્તાની સેનાના 40 સૈનિકોએ ભાગ લીધો
પાકિસ્તાની ઉચ્ચાયોગે જણાવ્યું કે આ અભ્યાસમાં પાકિસ્તાની સેનાના 6 અધિકારીઓ, 35 બીજા કર્મચારીઓ અને શ્રીલંકન સેનાના ચાર અધિકારીઓ અને 40 બીજા કર્મચારીઓએ ભાગ લીધો હહતો. આ અભ્યાસનો ઉદ્દેશ દ્વિપક્ષીય રક્ષા સંબંધોને મજબૂત કરવાનો તથા આતંકવાદની સામે બન્ને સેનાના સમૃદ્ધ અનુભવોને એકબીજા સાથે આદાનપ્રદાન કરવાનો છે.
યુદ્ધાભાસના પ્રસંગે શ્રીલંકાના સેના પ્રમુખ જનરલ શવેન્દ્ર સિલ્વાએ જણાવ્યું કે પાકિસ્તાન દરેક મુશ્કેલીના સમયે શ્રીલંકાનો સાચો મિત્ર બની રહ્યો છે અને પહેલેથી જ શ્રીલંકાનો સાથ આપ્યો છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવની વિરુદ્ધ પાકિસ્તાને શ્રીલંકાને ટેકો આપ્યો હતો. થોડા દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં શ્રીલંકાની સામે લવાયેલા માનવાધિકાર ઉલ્લંઘનના પ્રસ્તાવની વિરુદ્ધ પાકિસ્તાને વોટ આપ્યો હતો જ્યારે ભારત આ વોટિંગમાં હાજર રહ્યો નહોતો.
ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા પાકિસ્તાની પીએમ ઈમરાનખાન શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન શ્રીલંકાના પીએમ મહિંદા રાજકક્ષેએ પ્રોટોકોલ તોડીને જાતે ઈમરાનખાનને રિસિવ કરવા એરપોર્ટ ગયા હતા.