પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાઝવાએ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન તમામ વિવાદના નિવારણ માટે સંવાદ અને કૂટનીતિને આગળ વધારવાનું હિમાયતી છે.
પાક સેના પ્રમુખનું મોટુ નિવેદન
પાકિસ્તાન વિવાદોના નિવારણ માટે આગળ આવવા તૈયાર
વાતચીત અને કૂટનીતિથી હલ લાવવા આહ્વાન
પાકિસ્તાનમાં રાજકીય સંકટની વચ્ચે ઈસ્લામાબાદ સિક્યોરિટી ડાયલોગના મંચથી પાક સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાઝવાએ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન તમામ વિવાદના નિવારણ માટે સંવાદ અને કૂટનીતિને આગળ વધારવાનું હિમાયતી છે. તેમાં કશ્મીર વિવાદ પણ શામેલ છે. તેમણે કહ્યું કે, આ મુદ્દા પર આગળ વધવા માટે અમે તૈયાર છીએ, જો ભારત આગળ ડગલુ ભરશે તો.
તેમણે કહ્યું કે, દુનિયાની એક તૃત્યાંશ વસ્તી કોઈને કોઈ સંઘર્ષથી ઘેરાયેલી છે. એ જરૂરી છે કે, અમે પોતાના ક્ષેત્રને ટકરાવથી દૂર રાખીએ. આ જ ક્રમમાં ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ પણ અમારા માટે ચિંતાનો વિષય છે. અમે ઈચ્છીએ છીએ કે, તેનું સમાધાન વાતચીત અને ડિપ્લોમેસી દ્વારા થાય.
વિવાદોના સમાધાન માટે સંવાદ અને કૂટનીતિથી આગળ વધવાના હિમાયતી
પાકિસ્તાનના સેના પ્રમુખ બાઝવાએ આગળ કહ્યું કે, આ એ મોકો છે, જ્યારે આ ક્ષેત્રની રાજનીતિક નેતૃત્વને ભાવનાશીલ અને સંકીર્ણ મુદ્દાથી ઉપર ઉઠીને વ્યાપક હિત માટે નિર્ણય લેવો જોઈએ. સેના પ્રમુખે બે દિવસીય ઈસ્લામાબાદ સુરક્ષા વાર્તા 2022ને સંબોધન કરતા કહ્યું કે, પાકિસ્તાન તરફથી વાતચીતમાં વિશ્વાસ નથી કરતા. મારુ માનવું છે કે, આજથી પહેલા ઘણી વાર આપણે બૌદ્ધિક ચર્ચા માટે એવી જગ્યાને વિકસિત કરવા અને પ્રોત્સાહન આપવાની જરૂર છે, જ્યાં દુનિયાભરના લોકો વિચાર શેર કરવા માટે સાથે આવ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે, પાકિસ્તાન આર્થિક અને રણનીતિક ટકરાવના ચોક પર આવેલા દેશ તરીકે કેટલાય પડકારોનો સામનો કરી રહ્યું છે .
નાગરિકોની સુરક્ષા અને સમૃદ્ધિ સુરક્ષા નીતિનું કેન્દ્ર
પાકિસ્તાનના સેના અધ્યક્ષે આગળ કહ્યું કે, પાકિસ્તાનની પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ અમારા નાગરિકોની સુરક્ષા, સુરક્ષા, ગરિમા, અને સમૃદ્ધિને અમારી સુરક્ષા નીતિના કેન્દ્રમાં રાખે છે. પાકિસ્તાનના સુરક્ષાદળોએ આતંકવાદને હરાવવા માટે અસંખ્ય બલિદાન આપ્યા છે. જો કે, તેમણે એવું પણ કહ્યું કે ,આતંકવાદ અને હિંસક ઉગ્રવાદનો ખતરો હજૂ પણ છે. અફઘાન સરકાર અને અન્ય પાડોશીઓ તેની સાથે આ મુદ્દા પર કામ કરી રહ્યા છે.