પાકિસ્તાને પાક એવા રમઝાન માસમાં ખૌફનો નાપાક માર્ગ પસંદ કર્યો છે. પાકિસ્તાને સળંગ સાતમાં દિવસે સીઝફાયરનો ભંગ કરીને અરણિયા સેક્ટરમાં વ્યાપક નુકસાન પહોંચાડયું છે.પરંતુ ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે.અરણિયા સેક્ટરમાં ગાજતા મોર્ટારથી પાક સેના ભયથી ધ્રૂજી ગઈ છે. પાકિસ્તાને ભયભીત થઈ મસ્જિદોના લાઉડસ્પીકર પરથી સરહદી ગામને ખાલી કરવા સૂચના આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કશ્મીરમાં પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.પાકિસ્તાન દ્વારા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો પોતાની ઘર વખરી છોડીને પલાયન કરવા માટે મજબૂર બન્યા છે.અરનિયા સેક્ટર પર છેલ્લા 3 દિવસથી થઈ રહેલા ફાયરિંગના કારણે હજારો લોકોને અહીંથી પલાયન કરીને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિકોનું માનવું છે કે સરકારે આ મુદ્દે પાકિસ્તાન પર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
રમઝાન મહિનામાં પાકિસ્તાન પોતાની અવળચંડાઈમાંથી બહાર નથી આવી રહ્યું.છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન બોર્ડર પર સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે.રવિવારે ભારતે કરેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને બોર્ડર પર અરનિયા તેમજ આર.એસ. પુરા સેક્ટરમાં મોર્ટાર છોડી રહ્યું છે. જેમાં 8 માસની બાળકીનું મોત નિપજ્યું છે તો 4 લોકો ઘાયલ થયા છે તો આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે રવિવારે ભારત દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં પાકિસ્તાનના બંકરને નષ્ટ કરવામાં આવ્યા હતા.તે સમયે પાકિસ્તાન ફાયરિંગ બંદ કરવા માટે આજીજી કરી રહ્યું હતું. જે બાદ તેના તરફથી સતત ફાયરિંગ ચાલું જ છે તો સ્થાનિક લોકોને પલાયન કરવાની ફરજ પડી છે.
જમ્મુ-કશ્મીરમાં સીમા પર પાકિસ્તાની સેના દ્વારા નાપાક ફાયરિંગ પર ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનની આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ગૃહમંત્રીએ બીએસએફના જવાનોને ગોળીબારનો યોગ્ય જવાબ આપવા કહ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસોથી પાકિસ્તાની સેના સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે.પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું. આપણે પહેલી ગોળી નહીં ચલાવીએ પણ ગોલી ચલાવવા પર યોગ્ય જવાબ આપવામાં આવશે.
આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે દુનિયાભરમાં ખરાખરી સાંભળ્યા બાદ પણ પાકિસ્તાન પોતાનો માર્ગ બદલવા માટે તૈયાર નથી.ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળતી માહિતી મુજબ આતંકીઓની ઘુસણખોરીમાં નિષ્ફળ પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને હવે ઈન્ટરનેશનલ બોર્ડર પર ફાયરિંગ કરી રહ્યું છે.
પાકિસ્તાન દ્વારા છેલ્લા 3 દિવસથી સતત બોર્ડર પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે..ત્યારે રક્ષા વિશેષજ્ઞોએ પોતાનો વિશ્લેષણ રજૂ કર્યુ હતું તો આ તરફ રાજકીય નેતાઓએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની વાત કરી આ ઘટનાને વખોડી કાઢવાની જવાબદારી નિભાવી હતી.
ગુપ્તચર માહિતી મુજબ લશ્કરના આતંકીઓ ઘુસણખોરી કરીને સાંબા વિજયપુર આર.એસ.પુરા સેક્ટર અને કઠુઆમાં સુરક્ષા જવાનો અને સુરક્ષા જવાનોના સ્થળો પર આતંકી હુમલો કરી શકે છે.લશ્કરના આતંકી બોર્ડર પાર લોન્ચિંગ પેડ પર એકઠા થઈ રહ્યા છે.આતંકીઓ કઠુઆ-સાંબા હાઈ-વે પર IED બોંબ પણ પ્લાન્ટ કરી શકે છે.જોકે આ તમામ આશંકાનો જોતા જમ્મૂ-કશ્મીરમાં સુરક્ષા જવાનોને એલર્ટ કરવામાં આવ્યા છે.