ભારત દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યા બાદથી ભારત-પાકિસ્તાનની વચ્ચે સંબંધો વધારે ખરાબ થઈ ગયા છે, પણ હવે આ બંને દેશ તણાવ દૂર કરવાની પડદા પાછળ કોશિશો થઈ રહી છે.
ભારત અને પાક. વચ્ચે સંબંધો સુધરે તેવી શક્યતા
જો કે, ભારતે રાખી છે આ એક મોટી શરત
પાકિસ્તાનમાં ચાલી રહ્યું છે ઘઉંનું મોટુ સંકટ
ભારત દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યા બાદથી ભારત-પાકિસ્તાનની વચ્ચે સંબંધો વધારે ખરાબ થઈ ગયા છે, પણ હવે આ બંને દેશ તણાવ દૂર કરવાની પડદા પાછળ કોશિશો થઈ રહી છે. પાકિસ્તાને ભારતે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 છીનવી લેવા પર સંબંધ કરી નાખ્યા હતા. જો કે, હવે પાકિસ્તાનમાં ઘઉંનું સંકટ દૂર કરવામાં પાડોશી દેશની મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પણ ભારતે તેના માટે પાકિસ્તાન પાસેથી એક ખાસ કિંમત વસૂલવા માગે છે.
યુદ્ધ વિરામ સમાધાનનું નવીનીકરણ
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર,સ 20199માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધ ખરાબ થઈ ગયા હતા, દ્વિપક્ષીય વેપાર પણ બંધ કરી દીધો હતો અને કોઈ ડાયરેક્ટ વાત થતી નહોતી. પણ હવે બંને દેશ એક બીજા નવી વાતચીત શરૂ કરવા જઈ રહ્યા છે. આ સંપર્કોના કારણએ ફેબ્રુઆરી 2021માં યુદ્ધવિરામ કરારનું નવીનીકરણ થયું અને ત્યારથી સંઘર્ષ વિરામ ચાલુ છે અને ઉલ્લંઘનની કોઈ મોટી ઘટના થઈ નથી. પણ આ પ્રક્રિયાથી બંને દેશો વચ્ચે વાર્તાની શરૂઆતમાં કોઈ ઠોસ સફળતા મળી નથી.
ખાસ લોકો એકબીજાના સંપર્કમાં છે
અહેવાલમાં એક સત્તાવાર સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “વડાપ્રધાન શાહબાઝ શરીફે જ્યારથી ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી બંને દેશો કોઈ પણ પ્રકારના શોર વિના એકબીજા સાથે વાત કરી રહ્યા છે. બેક ચેનલ હોય, ટ્રેક 2 હોય કે પડદા પાછળની વાતો હોય, હું માત્ર એ વાતની પુષ્ટિ કરી શકું છું કે બંને દેશોના સંબંધિત લોકો એકબીજાના સંપર્કમાં છે. જો કે, સ્ત્રોતના જણાવ્યા મુજબ, તેની પાસે તે સંપર્કોની કોઈ ચોક્કસ વિગતો નથી.
ભારત છૂટછાટ આપવાના મૂડમાં નથી
આ જ અહેવાલમાં જણાવ્યા અનુસાર, ભારત ફરીથી વાત કરવા ઇચ્છુક છે, પરંતુ તેનું વલણ કડક છે. ભારત કાશ્મીર મુદ્દે કોઈ છૂટ આપવાના મૂડમાં નથી. તે જ સમયે, પાકિસ્તાનમાં ગઠબંધન સરકારના એક વરિષ્ઠ સભ્યએ કહ્યું કે, અમારી નીતિ સ્પષ્ટ છે. અમે ભારત સહિત દરેક સાથે જોડાવા માંગીએ છીએ. આ પહેલા પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે, તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ પહેલા કાશ્મીર પર ચર્ચા કરવી પડશે.
પાકિસ્તાન ઘઉંની અછતનો સામનો કરી રહ્યું છે
સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે, યુએસ અને યુકે જેવા પશ્ચિમી દેશો બંને પડોશી દેશો વચ્ચે તણાવ ઓછો કરવા અને વાતચીત ફરી શરૂ કરવા દબાણ કરી રહ્યા છે. આ સાથે દિલ્હી સરકાર પાકિસ્તાનમાં ઘઉંની અછતને પહોંચી વળવા માટે તૈયાર છે. પાકિસ્તાન હાલમાં રશિયા પાસેથી 20 લાખ ટન ઘઉંની આયાત કરવાની વાત કરી રહ્યું છે.
ભારતે એક શરત મૂકી છે
ભારત ઘઉંના ટોચના ઉત્પાદકોમાંનું એક છે. પાકિસ્તાનમાં ઘઉંની અછત છે. પાકિસ્તાનમાં ઘઉંની ઉપજમાં 2 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. રાજકીય સંકટનો સામનો કરી રહેલા આ દેશમાં ઘઉંના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાન તેની સ્થાનિક અછતને પહોંચી વળવા માટે આ સિઝનમાં 40 લાખ મેટ્રિક ટન ઘઉંની આયાત કરવાની યોજના બનાવી રહ્યું છે. ઓછા પરિવહન અને અન્ય લોજિસ્ટિક્સ ચાર્જીસને જોતાં, પાકિસ્તાન ભારતમાંથી ઓછી કિંમતે ઘઉંની આયાત કરી શકે છે. પરંતુ ભારતની શરત એ છે કે પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ભૂલીને વાત કરવી જોઈએ.
સફળતાની ઓછી તક
જો કે, નિષ્ણાતો માને છે કે, પાકિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતા અને બંને પક્ષો તરફથી મંત્રણા ફરી શરૂ કરવા માટે કડક શરતોને જોતાં તાત્કાલિક સફળતાની શક્યતા ઓછી છે. તેમ છતાં, પાકિસ્તાનની વર્તમાન આર્થિક સમસ્યાઓને જોતા એવું લાગે છે કે આ દેશ ચુપચાપ કાશ્મીર મુદ્દા પર આંખ આડા કાન કરશે અને ઓછા ભાવે ઘઉંની ખરીદી દેશની કટોકટી દૂર કરવાની દિશામાં કામ કરશે.