રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર જાતિગત ટિપ્પણી બાદ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં ગેહલોતે કહ્યું કે, ભારત એકલો જ એવો દેશ નથી કે જેને સર્જીકલ સ્ટ્રાઇક કરી છે. પાકિસ્તાને પણ સર્જીકલ સ્ટ્રાઇક કરી છે પરંતુ તેઓનાં તરફથી કોઇએ પણ નિવેદન આપ્યું નથી.
પાકિસ્તાને પણ સર્જીકલ સ્ટ્રાઇક કરી છે પરંતુ તેઓનાં તરફથી કોઇએ પણ નિવેદન આપ્યું નથી. ગેહલોતે એમ પણ કહ્યું કે, સર્જીકલ સ્ટ્રાઇક દરેક પ્રધાનમંત્રીનાં કાર્યકાળમાં થઇ છે, પરંતુ કોઇએ હજી સુધી કહ્યું નથી. જો કે બીજેપી નેતાની પાસે કોઇ મુદ્દો પણ નથી કે જેથી તેઓ સર્જીકલ સ્ટ્રાઇકને વિશે બોલી રહ્યાં છે.
આ પહેલાં ગેહલોતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લઇને પણ મોટું નિવેદન આપ્યું છે. સીએમ ગેહલોતે કહ્યું કે, જાતીય સમીકરણ સાધવા માટે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યાં. પહેલાં લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રપતિ બનાવવાની ચર્ચા હતી, પરંતુ ગુજરાત ચૂંટણીમાં ભાજપને હારનો ડર હતો, જેથી વોટોનું સમીકરણ બેસાડવા માટે અડવાણીની જગ્યા વંચિત તબક્કાથી રાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય કર્યો. જો કે, ગેહલોતે એમ પણ કહ્યું કે, 'આ મારા વિચાર નથી, મેં એક લેખ વાંચ્યો છે કે જેમાં આ વાતો કહેવામાં આવી છે અને આ વાતો સત્ય પણ લાગે છે.'
જયપુરમાં મીડિયા સાથેની વાતચીત દરમ્યાન સીએમ ગેહલોતે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેઓએ જણાવ્યું કે, મોદી સરકાર બેરોજગારીનાં આંકડા છુપાવી રહી છે. મોદી સરકારમાં ટ્રાન્સપરેન્સી નથી, આ ગોટાળા નહીં હોવાંની વાત કરે છે. 5 વર્ષ સુધી લોકપાલ નથી બનાવેલ પછી સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ લોકપાલ બનાવ્યો. કૈગની એક સેન્ટિટી હોય છે, પરંતુ મિસ્ટર રાયે આ સંસ્થાને બરબાદ કરી દીધાં. યૂપીએ પર કાલ્પનિક આંકડાઓ આપીને દેશમાં માહોલ બનાવ્યો, 2G અને કૉલ ગોટાળાંઓનાં આરોપમાં કંઇ જ ના નીકળ્યું.