પાકિસ્તાનમાં તબ્લીગી જમાતને કારણે સંક્રમણની સંખ્યાની વધેલી સ્પીડના કારણે રાયવિંડ શહેરમાં એટલું કડક લોકડાઉન છે કે અહીં ખાદ્ય પદાર્થો અને દાવોના સ્ટોર સુદ્ધા ખોલવા દેવામાં આવતા નથી. સરક્ષાકર્મી પુરા શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેમજ કોઈ પણ નાગરિકના ઘરનો ઉમરો ઓળંગવા દઈ રહ્યા નથી.
ગુરુવારે તબ્લીગી જમાતના 40 ધર્મ ઉપદેશકોનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ અનેક શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. પાકિસ્તાનમાં વાયરસ સંક્રમણની સંખ્યા 2250એ પહોંચી છે. જ્યારે 32 લોકોના મોત નિપજ્યા છે. પંજાબમાં 845 અને સિંઘમાં 709 નવા કેસ સામે આવ્યા છે.
અહીં ક્ષેત્રીય સંસ્કમણ જાહેર કરી દીધું છે
લાહોરથી 50 કિમી દુર કસૂરમાં જમાતના 50 સભ્યોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5 નાઈઝિરિયાના છે. આ રીતે સિંઘ પ્રાંતના હૈદરાબાદમાં 38 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. આ તમામ લોકો તબ્લીગી જમાતના સભ્યો છે. આથી આને ક્ષેત્રીય સંસ્કમણ જાહેર કરી દીધું છે.
સેનાએ મોર્ચો સંભાળ્યો છે
વાયરસની વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન દરમિયાન કેન્દ્ર તથા રાજ્યની વચ્ચેના સમન્વયમાં પાકિસ્તાની સેના નજર રાખી રહી છે. વાયુ રક્ષા કમાનના કમાન્ડર લે.જ. હમૂદ ઉજ જમાન ખાનને રાષ્ટ્રીય કમાન તથા ઓપરેશન કેન્દ્રના સમન્વયક બનાવવામાં આવ્યા છે. તેમનું કામ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની અધ્યક્ષતામાં બનેલી કોર સમિતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની અરજીઓને અમલમાં મુકવાનું છે.
લોકડાઉન તોડનાર પર કડકાઈથી કાર્યવાહી કરાય છે
પોલીસે પંજાબ તથા સિંઘ રાજ્યોની મસ્જિદોમાં છુપાયેવા જમાતીઓને મસ્જિદોમાં જ ઘેરી લીધા છે. તેમને લોકોડાઉન તોડવાના આરોપ સાથે પોલીસે જેલમાં પુરી દીધા છે.
રાયવિંડમાં જમાતનું મુખ્યાલય
રાયવિંડ મરકજને પાકિસ્તાનમાં જમાતનું મુખ્યાલય માનવામાં આવે છે. માર્ચમાં મનાઈ તથા કોરોના વાયરસની ચેતવણી છતાં જમાતે અહીં પોતાનું વાર્ષિક સમ્મેલન કરાવ્યું હતું. અહીં હજું પણ 600 તબ્લીગી હાજર છે. જેમાંથી 110ના સેમ્પલ ટેસ્ટ થયા જેમાં 41 પોઝિટિવ આવ્યા છે.
4 દેશોમાં ફ્લાવ્યું આ જમાતે સંક્રમણ
તબ્લીગીને 4 દેશોમાં સંક્રમણ ફેલાવનારા શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે. જેમાં ભારત, મલેશિયા અને બ્રુનેઈ અન્ય દેશો છે.