ગભરાયેલા પાકિસ્તાનનું વધુ એક પેતરુ સામે આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આરોપ લગાવતા કહ્યું કે ભારત અમારા પર વધુ એક હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.
ઇસ્લામાબાદઃ ગભરાયેલા પાકિસ્તાનનું વધુ એક પેતરુ સામે આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આરોપ લગાવતા કહ્યું કે ભારત અમારા પર વધુ એક હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.
પાક. વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીનું તથ્યવિહીન નિવેદન આપ્યું છે. તેમણે ભારતને લઇ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પાસે પાક્કી માહિતી છે કે ભારત નવી યોજના બનાવી રહ્યું છે. ભારત ચૂંટણી પહેલા પાકિસ્તાન પર હુમલો કરવાની તૈયારીમાં છે.
વધુમાં તેમણે કહ્યું કે, એપ્રિલના ત્રીજા સપ્તાહમાં પાક. પર સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. 16થી 20 એપ્રિલ દરમિયાન સૈન્ય કાર્યવાહી ભારત કરી શકે છે. આતંરરાષ્ટ્રીય સમુદાયને મધ્યસ્થતા કરવા પણ અપીલ કરી છે.
પુલવામા હુમલા બાદ બાલાકોટમાં પાકિસ્તાની આતંકવાદીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા શાહ મહમૂદે સવાલ કર્યો છે કે 26 ફેબ્રુઆરીએ જ્યારે ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી તો દુનિયા ચૂપ હતી. જ્યારે તે બધા જાણતા હતા કે ભારતે આવું કરીને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આના પર મૌન કેમ?