પાકિસ્તાનના હવાઇ ક્ષેત્ર 28 જૂન સુધી ભારતના તમામ વિમાનોના આવન-જાવન માટે બંધ રહેશે. આ જાણકારી સિવિલ એવિએશન ઑથોરિટી (CAA) દ્વારા જારી એક નોટિસમાં આપવામાં આવેલી છે.
પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ 26 ફેબ્રુઆરીથી પોતાનો હવાઇ માર્ગ બંધ કર્યો છે. જો કે 27 માર્ચે પાકિસ્તાને નવી દિલ્હી, બેન્ગકોંક અને કુઆલાલંપુરને છોડીને બાકી બધા માટે પોતાનો હવાઇ માર્ગ ખોલી દીધો હતો. એર સ્ટ્રાઇકમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોને નિશાન બનાવીને એમને નાશ
કરી દીધો હતો.
ત્યારબાદ પાકિસ્તાને પોતાના 111માંથી માત્ર બે હવાઇ માર્ગ ખોલ્યા હતા જે દક્ષિણ પાકિસ્તાન થઇને પસાર થાય છે. જો કે પડોશી દેશે સોમવારે SCO બેઠકમાં સામેલ થવા માટે કિર્ગિસ્તાન ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિમાનને પોતાના હવાઇ માર્ગથી પસાર થવાની પરવાનગી આપી હતી.
જણાવી દઇએ કે આ પહેલા પાકિસ્તાને 21 મે તત્કાલીન વિદેશ મંત્રી સુષમા સ્વરાજના વિમાનને કિર્ગિસ્તાનના બિશ્કેકમાં એસસીઓમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં સામેલ થવા માટે પાક વાયુ ક્ષેત્રથી સીધી ઉડાન ભરવાની વિશેષ અનુમતિ આપી હતી.
ભારતીય વાયુ સેનાએ 31 મે જાહેરાત કરી હતી કે બાલાકોટ હવાઇ હુમલા બાદ ભારતીય વાયુ ક્ષેત્ર પર લાદવામાં આવેલા તમામ અસ્થાઇ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા છે. જો કે જ્યાં સુધી પાકિસ્તાન પોતાનો હવાઇ માર્ગ ખોલે નહીં ત્યાં સુધી એનાથી કોઇ પણ વાણિજ્યિક એરલાઇનને ફાયદો મળવાની શક્યતા નથી.