પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા ફરી ગુજરાતના 12 માછીમારો અને 2 બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમા ગુજરતના ઓખા નજીક આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે અને આ ઘટનાને કારણે માછીમારોમાં રોષનો માહોલ ફેલાયો છે.
પાકિસ્તાને ફરી માછીમારોનું કર્યુ અપહરણ
આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક બની ઘટના
2 બોટની સાથે 12 માછીમારોનું અપહરણ
પાકિસ્તાન મરીન દ્વારા અવાર નવાર ભારતના માછીમારોને હેરાન કરવામાં આવે છે. જેમા તેઓ ભારતના માછીમારોનું અપહરણ કરી લેતા હોય છે. આ મામલે માછીમારો દ્વારા ઘણી વખત સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે વધુમાં પાકિસ્તાન મરીનની વધું એક નાપાક હરકત સામે આવી છે.
12 માછીમારોનું અપહરણ
પાકિસ્તાન મરીન દ્વારા આતંરરાષ્ટ્રીય જળ સીમા નજીક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેમા તેમણે ગુજરાતની 2 બોટમાંથી કુલ 12 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે. આ ઘટનાને લઈને હવે માછીમારોમાં રોષનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
બંને બોટ ઓખાની હોવાની શક્યતા
IMBL નજીકથી પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમા કુલ2 બોટ હતી જે બંન્ને બોટમાં 12 માછીમારો હતા. બંને બોટ ઓખાની હોવાની શક્યતા સેવાઈ રહી છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક આ ઘટના બની છે.
માછીમારોમાં રોષનો માહોલ
ઉલ્લેખનીય છે અગાઉ પણ પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારે વધુમાં ફરી એક આવો બનાવ બન્યો જેના કારણે માછીમારોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે માછીમારો દ્વારા સરકારને પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતા પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા આ રીકતે માછીમારોનું અપહરણ થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.