ઈન્ટરનેશલ મેરિટાઈમ બાઉન્ડરી લાઈન નજીક વધુ એકવાર પાકિસ્તાનની અવળચંડાઇ.માછીમારી કરી રહેલા 5 માછીમારીની બોટ અને 30 માછીમારોના પાકિસ્તાન મરીન્સ દ્વારા અપહરણ.
પાક. મારીને વધુ માછીમારોનું કર્યું અપહરણ
30 માછીમારો સાથે વધુ પાંચ બોટનું અપહરણ
25 જ દિવસમાં સૌરાષ્ટ્રની 20 બોટ ઉઠાવી ગયા
IMBL ઈન્ટરનેશલ મેરિટાઈમ બાઉન્ડરી લાઈન નજીક વધુ એકવાર પાકિસ્તાનની અવળચંડાઇ સામે આવી છે. અહીં માછીમારી કરી રહેલા 5 માછીમારીની બોટ અને 30 માછીમારોના પાકિસ્તાન મરીન્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યા છે. ભારતીય માછીમારોના અપહરણ માટે જ્યારે પાકિસ્તાન મરીન પહોંચી ત્યારનો વીડિયો વાઈરલ થયો છે. પાકિસ્તાન મરીનની ચુંગાલમાંથી બચવા માટે ભારતીય માછીમારો પ્રયાસ કરી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જો કે, તેમ છતાં પાકિસ્તાન મરીન્સ 5 બોટ અને 30 માછીમારોના અપહરણ કરી લીધા હતા. આ ઘટનાને લઈ ભારતીય માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અપહરણનો LIVE વીડિયો પણ સામે આવ્યો છે. એક બોટના માછીમારે અપહરણની ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરી છે. મોટી સંખ્યામાં બોટ ભારતના દરિયાકાંઠા તરફ ભાગી રહી હોવાનું દેખાઇ રહ્યું છે.
25 દિવસમાં સૌરાષ્ટ્રની 20 બોટનું અપહરણ
છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટો અને માછીમારોના અપહરણની ઘટનાઓ બનતી આવી છે, પરંતુ છેલ્લા દોઢ મહીનામાં જે રીતે સતત બોટો સાથે માછીમારોને ઉઠાવવાની ઘટના બની રહી છે. છેલ્લા 25 દિવસમાં સૌરાષ્ટ્રની 20 બોટનું અપહરણ થયું છે. જયારે પાકિસ્તાન મરિન દ્વારા 120 માછીમારોનું અપહરણ થયું છે. તેનાથી માછીમારોમાં ડર વ્યાપી ગયો છે. કારણ કે પાકિસ્તાન દ્વારા બોટો સાથે માછીમારોના સતત થઈ રહેલા અપહરણથી માછીમારોમાં ચિંતા છે. પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલ બોટને પરત કરતું નથી અને જે માછીમારો પકડાઈ છે તેને ત્યાંની જેલમાં યાતનાઓ વેઠ્યા બાદ 2 - 3 વર્ષે મુક્તિ મળે છે. પાકિસ્તાનની મનસા કરોડોના માછીમારી ઉદ્યોગની અધોગતિ થાય અને માછીમારો ડરી જાય તો આ ઉદ્યોગ પડી ભાગે તેવી છે, આ કાવતરા અંગે સ્થાનિકો અને આગેવાનો જણાવી રહ્યાં છે.