ભારતના ઈતિહાસમાં ખૂબ લાંબા સમય સુધી ચાલેલા વિવાદ બાદ આખરે સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ અયોધ્યામાં રામમંદિર નિર્માણનું કાર્ય શરુ કરવામાં આવ્યું છે. શાંતિપૂર્વક શરુ થયેલા આ મંદિર નિર્માણથી પાકિસ્તાન ઉકળી ઉઠ્યું છે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા મંદિર નિર્માણ પર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું જેની ભારતમાં ખૂબ ટિકા કરવામાં આવી રહી છે.
અયોધ્યામાં મંદિર નિર્માણ પર પાકિસ્તાનને આપત્તિ
RSS-BJP ગઠબંધન હિંદુત્વના એજન્ડા પર આગળ વધી રહ્યું : પાકિસ્તાન
ભારતે પણ જડબાતોડ જવાબ
અયોધ્યાનાં રામમંદિર નિર્માણમાં જાણ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. મંદિર નિર્માણ શાંતિપૂર્વક શરુ થયા બાદ હંમેશા ભારત સામે ઝેર ઓંકતા પાકિસ્તાને અભદ્ર નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મંદિર નિર્માણ પર આપેલા નિવેદન બાદ ભારતે પાકિસ્તાનના આ નિવેદનની નિંદા છે.
પાકિસ્તાને મંદિર નિર્માણ પર કર્યું ટ્વીટ
While 🌎 is grappling with unprecedented #COVID19, RSS-BJP combine is busy unabashedly advancing “Hindutva” agenda. The commencement of construction of a Mandir at the site of Babri Masjid is another step in this direction & Govt & people of 🇵🇰 condemn it in the strongest terms. pic.twitter.com/1V4iWW7tvi
— Spokesperson 🇵🇰 MoFA (@ForeignOfficePk) May 27, 2020
ભારતમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપતા મંદિર નિર્માણની મંજૂરી આપી હતી, જે બાદ હાલમાં જ મંદિર નિર્માણનું કાર્ય પણ શરુ થઇ ગયું છે પરંતુ ચુકાદો આવ્યો તે સમયથી લઈને મંદિર નિર્માણનું કાર્ય શરુ થયું ત્યાં સુધી દેશમાં શાંતિ જળવાઈ રહી છે જે પાડોશી દેશ પાકિસ્તાનને પસંદ નથી આવ્યું. પાકિસ્તાન સતત દેશના નાગરિકોને ભડકાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલય દ્વારા એક ટ્વીટમાં લખવામાં આવ્યું 'જ્યાં એકતરફ દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે ત્યાં બીજી તરફ RSS-BJP ગઠબંધન હિંદુત્વના એજન્ડા પર આગળ વધી રહ્યું છે. બાબરી મસ્જિદ સ્થળ પર એક મંદિર નિર્માણની શરૂઆત કરવામાં આવી છે અને પાક સરકાર તેની કડક શબ્દોમાં નિંદા કરે છે.'
— Vishva Hindu Parishad -VHP (@VHPDigital) May 28, 2020
પાકિસ્તાનના આ નિવેદન વિહિપના મહામંત્રી મિલિન્દ પરાંડેએ આ નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું. તેમને કહ્યું કે ' પાકિસ્તાન પોતાની ખામીઓ છુપાવવા માટે આવા બેજવાબદાર નિવેદનો આપી રહ્યું છે. જે દેશમાં સતત અન્યાય જ થાય છે આપણી ન્યાય પ્રણાલી પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ ખૂબ જ હાસ્યાસ્પદ છે. પાકિસ્તાનમાં જે અલ્પસંખ્યક છે તેમની સાથે અત્યાચાર અને અન્યાય થઇ રહ્યો છે, પાકિસ્તાન પોતાની નાકામીઓ છૂપાવવા આમ કરી રહ્યું છે.'