જમ્મૂ કાશ્મીરથી મોદી સરકારના આર્ટિકલ 370 હટાવ્યા બાદ છંછેડાયેલા પાકિસ્તાને ભારત સાથે વેપાર બંધ કરવો ભારે પડી રહ્યો છે. ભારતથી આયાત થતા સામાન પર પૂર્ણ રીતે રોક લગાવ્યા બાદ પાકિસ્તાનમાં ટામેટાની કિંમતમાં ઓચિંતો વધારો થયો છે. ટામેટાની કિંમત 300 સુધી પહોંચી ગઇ છે.
ટામેટાના ભાવમાં અચાનકથી વધારો થયા બાદ પાકિસ્તાનના લોકો આશ્ચર્યમાં છે. અને પહેલાથી જ મોંઘવારીથી ત્રસ્ત લોકો પર કમર તોડ 300 રૂપિયે કિલો ટામેટાનો ભાવ ઝીંકાયો છે. ટામેટાના ભાવમાં આ પ્રકારે વધારા બાદ સ્પષ્ટ છે કે વડાપ્રધાન ઇમરાન ખાનના ભારત સાથે વેપાર ખતમ કરવાના નિર્ણયનું નુકશાન પાકિસ્તાનના નાગરિકોએ ઉઠાવવું પડશે.
ભારત તરફથી રોજે રોજ લીલી શાકભાજી અને ખાસ કરીને ટામેટા પાકિસ્તાનમાં નિકાસ કરવામાં આવે છે. તેથી પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ અને ટામેટાના ભાવ નિયંત્રણમાં રહેતા હતા. પરંતુ પાકિસ્તાન સરકારના વેપારી સંબંધો તોડી નાંખવાના નિર્ણય બાદ હવે ભારતથી ટામેટાનો પુરવઠો ખતમ થઇ ગયો છે. તેથી ત્યાં ટામેટાના ભાવ નિયંત્રિત રહેતા હતા. પરંતુ પાકિસ્તાન સરકારના વેપાર રોકવાના નિર્ણય બાદ હવે ભારતના ટામેટાનો પુરવઠો ખતમ થઇ ગયો છે. તેથી ત્યાં ટામેટાનો ભાવ આસમાને પહોંચ્યો છે.
જમ્મૂ કાશ્મીરને લઇને ભારત તરફથી લેવામાં આવેલ નિર્ણયથી પાકિસ્તાન એ હદે હતાશ છે કે ભારતને આર્થિક અને સામરિક રીતે નુકશાન પહોંચાડવા જતાં એક પછી એક એવા નિર્યણ લઇ રહ્યો છે જેથી તે ખુદ બર્બાદ થઇ રહ્યું છે. પહેલા સમજૌતા એક્સપ્રેસ રદ્દ કરી, દિલ્હી-લાહૌર બસ સેવા સ્થગિત કરી હતી.
જોકે ભારતે જમ્મૂ કાશ્મીર પર લેવામાં આવેલા નિર્ણયને સ્પષ્ટ શબ્દોમાં દેશનો આંતરિક મામલો બતાવ્યો છે. પરંતુ પાકિસ્તાન કાશ્મીરથી 370 હટાવવાના નિર્ણયને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં લાગ્યું છે. જોકે પાકિસ્તાનને આ મુદ્દા પર નિરાશા હાથ લાગી રહી છે.