અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મિટીંગમાં ભારત અને પાકિસ્તાન સહિત અન્ય દેશના વિદેશમંત્રીઓએ હાજર છે. આ દરમિયાન જ્યારે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કૂરેશીને પૂછવામાં આવ્યુ કે પાકિસ્તાન પર આરોપ છે કે તે આતંકવાદને વધારો આપે છે.
ત્યારે શાહ મહેમૂદ કુરેશીએ જણાવ્યું કે આ વિશે તો હું કહેવા ઘણું માગુ છું. પણ હું મામલો વણસવા દેવા માગતો નથી. અમે શાંતિ ઈચ્છીએ છીએ. સારૂ થાય એવું ઈચ્છીએ છીએ. પરિસ્થિતિ બગડવા માટે બે જૂથ હોવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે એક તરફ પાકિસ્તાન ભારતીય સીમા પર વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે અને આતંકવાદીઓ જવાનોની હત્યા કરે છે ત્યારે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીનું નિવેદન કેટલું યોગ્ય છે.
આપને જણાવી દઇએ કે વિદેશમંત્રી સ્તરની આ મુલાકાત આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં થવાની હતી.
જો કે કેટલાક આંતરિક કારણોસર રદ થતાં પાકના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આ મુલાકાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. ત્યારે ગતરોજ પાકિસ્તાનના વિદેશમંત્રી શાંતિ ઇચ્છીએ છીએ તેવું નિવેદન આપતા વિવિધ તર્ક-વિતર્ક શરૂ થયા હતા.