પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહમદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ થનારી મેચ પહેલા કહ્યુ કે, ''અમે કોઇ બીજી બાબત માટે વિચારવાની જગ્યાએ ઓસ્ટ્રેલિયાની સાથે થનારી ગેમ પર ધ્યાન આપીશું. અમારુ મનોબળ મજબૂત છે. આશા છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ સારુ રમીશું.''
ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ વખતે ભારતીય સમર્થકો દ્વારા સ્ટીવ સ્મિથની મજાક ઉડાવવાની વાત પર પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહમદે કહ્યુ કે, ''મને નથી લાગતુ કે પાકિસ્તાની સમર્થક આવું કંઇ કરશે, તેઓ ક્રિકેટ અને ખેલાડીઓને પ્રેમ કરે છે અને સાથે જ સપોર્ટ પણ કરે છે.''
With India fans giving Steve Smith a tough time fielding in the deep, @imVkohli suggested they applaud the Australian instead.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં ભારતીય પ્રશંસકોએ ઓસ્ટ્રેલિયા ટીમની ફિલ્ડિંગના સમયે સ્ટીવ સ્મિથનો મજાક ઉડાવી જે પછી કોહલીએ પ્રશંસકો પર પોતાનો ગુસ્સો વ્યકત કર્યો અને સ્મિથને સપોર્ટ કરવા માટે કહ્યુ.
પાકિસ્તાની કેપ્ટનને મીડિયા સાથે વાતચીત દરમિયાન પોતાના કોચ સાથે વાત કરતા કહ્યુ કે, ''તેઓ સારા કોચ છે અને સારુ કરી રહ્યા છે. ગત 3 વર્ષોથી અમારી ટીમ સાથે મહેનત કરી, એટલા માટે મારા અને પાકિસ્તાની ખેલાડીઓ માટે તે સારા કોચ છે.''
ઓસ્ટ્રેલિયાના ખિલાડી માર્કસ સ્ટોઇનિસ ટીમની બહાર થવાની વાત પર કહ્યુ કે, ''અમે ઓસ્ટ્રેલિયાઇ ટીમમાં શું થઇ રહ્યુ છે તે નથી વિચારી રહ્યા. પરંતુ અમારી ટીમ માટે વિચારી રહ્યા છીએ. અમે સારી પ્લાનિંગની સાથે રમવા માટે આવીશું.''
સતત થયેલી વરસાદ માટે કહ્યુ કે, ''વાતાવરણ કેવુ રહેશે તે માટે કહેવાય નહી, આ બંને ટીમ માટે એક જેવુ જ છે.'' શું કોઇ ટીમ 500નો સ્કોર કરી શકશે? તેના જવાબમાં સરફરાઝે કહ્યુ કે, ''આ બાઇલેટ્રલ સીરિઝ નથી પરંતુ વર્લ્ડ કપ મેચ છે.''
સરફરાઝે કહ્યુ કે, ''બાઇલેટ્રલ સીરિઝમાં ટીમ 360-370 નો સ્કોર કરી શકે છે, જેવી રીતે ઇંગ્લેન્ડે અમારી વિરુદ્ઘ 370 રનનો સ્કોર કર્યો જેને અમે પૂરો કરી શક્યા. પરંતુ વર્લ્ડ કપ છે જેમાં કોઇ પણ ટીમને ચેજ કરવુ સરળ નથી. મને નથી લાગતુ કે કોઇ ટીમ 500ના સ્કોર સુધી પહોંચી શકશે.''