પાકિસ્તાને ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાને બોર્ડર પર ફાયરિંગ કરતા ભારતીય સેના દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. ભારતીય સેના દ્વારા હાલ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં જવાબી કાર્યવાહી હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પીએમ દ્વારા ભારત સાથે વાતચીત કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે. તો એક તરફ ભારત સાથે વાતચીત કરવા માટે પત્ર લખવામાં આવે છે અને બીજી તરફ પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવે છે.
ત્યારે પાકિસ્તાનનું આ વલણ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે પાકિસ્તાને બુધવારે પણ રામગઢ સેક્ટરમાં ભારે ગોળીબારી કરીને બીએસએફના જવાનોને નિશાન બનાવ્યા હતા. આ ફાયરિંગ બાદ બીએસએફના જવાન નરેન્દ્રસિંહ લાપતા થયા હતા. બાદમાં મોડી રાતે તેમનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો.
આ મામલે અધિકારીઓના જણાવ્યા અનુસાર બીએસએફના જવાનો મંગળવારે સવારે મેદાનમાં ઊગેલું સરકંડાનું લાંબું ઘાસ કાપવા માટે ફેન્સિંગની નજીક ગયા હતા. એ દરમિયાન પાકિસ્તાનના ૩૬ ચિનાબ રેન્જર્સના જવાનોએ ભારતીય જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
ત્યારબાદ બીએસએફના જવાન નરેન્દ્રસિહ ગાયબ થઈ ગયા હતા. પાકિસ્તાની રેન્જર્સે તેમનું અપહરણ કરી તેમની હત્યા કરી નાખી અને બાદમાં શહીદ જવાનના મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા.