પાકિસ્તાને મંગળવારે પણ લાઇન ઓફ કંટ્રોલ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાને આ કાયરતાપૂર્ણ કૃત્ય ત્યારે કર્યું જ્યારે તેણે સોમવારે જ એલઓસી પર શાંતિ બનાવી રાખવાની અપીલ કરી હતી.
પાકિસ્તાનનું મંગળવારે પણ લાઇન ઓફ કંટ્રોલ પર સીઝફાયર ઉલ્લંઘન
પાકે. સોમવારે જ એલઓસી પર શાંતિ બનાવી રાખવાની અપીલ કરી હતી
પાકિસ્તાન પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય : ભારત
પાકિસ્તાને આજે એલઓસી પર બાલાકોટ સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ પહેલા રવિવારે પાકિસ્તાન દ્વારા સીઝફાયરના ઉલ્લંઘનમાં ભારતના બે જવાન અને એક આમ નાગરિકનું મોત થઇ ગયું હતું. ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં ત્રણ આંતકી કેમ્પ તબાહ કર્યા. આ ઉપરાંત ભારતની કાર્યવાહીમાં લગભગ 2 ડઝન આંતકીઓ સહિત 10 પાક સૈનિક માર્યા ગયા હતા.
આર્મી સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે સોમવારે પાકિસ્તાને નિવેદન આપ્યું હતું કે બોર્ડર પર શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરવો જોઇએ. પાક.નું કહેવું છે કે સોમવારે કેટલાક રાજનયિક અને પત્રકાર એલઓસીનો પ્રવાસ કરવાના છે.
ભારતે પાકિસ્તાનના નિવેદનનું સન્માન કર્યું. પરંતુ પાકિસ્તાન ત્યાર પછીના દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન શરૂ કર્યું. ભારતીય સેના સાથે જોડાયેલા સૂત્રોનું કહેવુ છે કે પાકિસ્તાન પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય છે. જો તે પોતાના નિવેદનના બીજા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે. પાકિસ્તાને તેના વિસ્તારમાં ફાયરિંગ કર્યું છે, જ્યાં બાળકોના સ્કૂલ છે. ભારતે કહ્યું કે પાડોશી દેશે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જ્યારે ભારતે તેમના નિવેદનનું સન્માન કર્યું.