પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન શનિવારે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ માટે રવાના થઇ ગયા છે. તેઓ 22 જુલાઇ રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રંપ સાથે થનારી મુલાકાતમાં તણાવપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને ફરીથી પાટા પર લાવવાનો પ્રયાસ કરશે.
ઇમરાન ખાન 2018માં પદભાર ગ્રહણ કર્યા બાદ આવા સમયે પહેલી અમેરિકા યાત્રા કરી રહ્યા છે કે જ્યારે પાકિસ્તાન વેપાર નુકસાન, વિદેશી મુદ્રાની કમી અને વિદેશ રોકાણની જરૂરીયાતના કારણએ કઠિન સ્થિતિમાં છે.
ખાને કરદાતાઓના પૈસા બચાવવા માટે ખાસ સંદેશ આપતા વાણિજ્યિક કતર એરવેઝથી વોશિંગ્ટન માટે ઉડાન ભરી, એમની આ યાત્રા એવા સમયે થઇ રહી છે જ્યારે પાકિસ્તાને અમેરિકા દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ છતાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી 6 અરબ ડૉલરનો બેલઆઉટ પ્રાપ્ત કર્યો છે. વ્હાઇટ હાઇસ અનુસાર ખાનની યાત્રા વોશિંગ્ટન અને ઇસ્લામાબાદની વચ્ચે ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ લાવવા માટે કેન્દ્રિત થશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, બંને નેતા પોતાની બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ચર્ચામાં આતંકવાદ, રક્ષા, ઊર્જા અને વેપાર સામેલ છે. રિપોર્ટ અનુસાર આ બેઠક દક્ષિણ એશિયાના માહોલને શાંતિપૂર્ણ બનાવવાની સાથે જ બંને દેશોની વચ્ચે સ્થાઇ ભાગીદારીને મજબૂત કરશે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ પહેલી વખત છે જ્યારે પાકિસ્તાની પ્રધાનમંત્રી પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું તે ખાન અને ટ્રંપની વચ્ચે બે અલગ અલગ બેઠક થશે. પહેલી બેઠક ઓવલ જ્યારે બીજી બેઠક કેબિનેટ કક્ષમાં આયોજિત હશે.