પોતાના દેશમાં અલ્પસંખ્યકોના ઉત્પીડનના આરોપોથી ઘેરાયેલા ઈમરાને કહ્યું કે આ બધું મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આસામમાં શનિવારે જ એનઆરસીનું ફાઈનલ લિસ્ટ જાહેર થયું છે જેમાં 3.11 કરોડ લોકોને સ્થાન મળ્યું છે.
જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવી દીધા બાદ ભડકેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને હવે આસામમાં જાહેર થયેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ પર પોતાનો ગુસ્સો ઉતારવાનું શરૂ કર્યું છે. ઈમરાને એનઆરસીમાં પણ ઈસ્લામિક કાર્ડ રમતા કહ્યું કે આ ભારતની કાશ્મીરથી 370ની કલમ હટાવવાના કારણે થયું છે. પોતાના દેશમાં અલ્પસંખ્યકોના ઉત્પીડનના આરોપોથી ઘેરાયેલા ઈમરાને કહ્યું કે આ બધું મુસ્લિમોને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે. આસામમાં શનિવારે જ એનઆરસીનું ફાઈનલ લિસ્ટ જાહેર થયું છે જેમાં 3.11 કરોડ લોકોને સ્થાન મળ્યું છે. જ્યારે 19.07 લાખ લોકો યાદીની બહાર છે.
આને ખતરાની સ્થિતિ સમજવી જોઈએ
જિયો ન્યૂઝના અનુસાર આ પગલું મુસલમાનોનું મોટી સંખ્યામાં નિર્વાસનનું જોખમ દર્શાવે છે. ઈમરાન ખાને ટ્વિટમાં કહ્યું કે દુનિયાભરમા તેને ખતરાની સ્થિતિ સમજવી જોઈએ.દુનિયા કાશ્મીરને નજરઅંદાઝ ન કરી શકે. આપણે સૌ ખતરામાં છીએ. જો દુનિયા કાશ્મીર અને ત્યાંના નાગરિકો પર અત્યાચારને રોકવા માટે આગળ નહિ આવે તો તેનું પરિણામ સમગ્ર વિશ્વને ભોગવવું પડશે.કાશ્મીરનો વિલય મુસ્લિમોને ટાર્ગેટ કરીને થનારી વ્યાપક નીતિનો ભાગ છે.
યુદ્ધની આપી હતી ચેતવણી
આ પહેલાં ઈમરાન ખાને ગુરુવારે કહ્યું કે જો ભારત જમ્મૂ કાશ્મીરથી વિશેષ દરજ્જો હટાવવા મુદ્દે વિચારે છે, પ્રતિબંધો ખતમ કરે છે અને પોતાની સેના પાછી બોલાવી લે છે તો તેમની સાથે વાતચીત થઈ શકે છે. આ સમયે તેઓએ યુદ્ધની ચેતવણી પણ આપી હતી. એક તરફ જ્યા ઈમરાન ખાન યુદ્ધની ચેતવણી આપી રહ્યા છે ત્યાં વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારત સાથે વાતચીત કરવાની ઈચ્છા દર્શાવી છે.
ઈમરાનના મંત્રી બોલ્યા - વાતચીત માટે તૈયાર છીએ
પાક મીડિયાના આધારે કુરૈશીએ કહ્યું કે અમે વાતચીત માટે તૈયાર છીએ. પણ આ વાત ત્યારે શક્ય બને જ્યારે ભારત પણ તેમ ઈચ્છે. કુરૈશીનું આ નિવેદન ત્યારે મહત્વપૂર્ણ બને છે જ્યારે હાલમાં જ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે ભારત પાકિસ્તાનની સાથે આંતક મુક્ત અને હિંસા મુક્ત માહોલ માટે દ્વિપક્ષીય વાતચીત માટે તૈયાર છે.