કુલભૂષણ જાધવના મામલામાં નેધરલેન્ડના ધ હેગની ઇન્ટરનેશનલ કોર્ટ (ICJ)ના નિર્ણયને દુનિયાભરમાં ભારતની જીત તરીકે જોઇ રહી છે ત્યારે પાકિસ્તાન સરકાર આને પોતાની જીત ગણાવી રહી છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યુ કે, ''અમે કાયદાકીય રીતે આગળ વધીશું.'' ગુરુવારે એટલે કે આજે પાકિસ્તાન પીએમએ ટ્વીટ કરીને ICJના નિર્ણયનુ સ્વાગત કરતા કહ્યુ કે, ''કુલભૂષણને મુક્ત ન કરવાનો નિર્ણય આપ્યો. કુલભૂષણ પાકિસ્તાનના લોકોની વિરુદ્ધ અપરાધોનો દોષી છે.''
Appreciate ICJ’s decision not to acquit, release & return Commander Kulbhushan Jadhav to India. He is guilty of crimes against the people of Pakistan. Pakistan shall proceed further as per law.
આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ આ નિર્ણયને પાકિસ્તાનની જીત ગણાવી હતી. તેમણે ટ્વીટ કર્યુ હતું કે, ''કમાન્ડર જાધવને પાકિસ્તાનમાં રહેવું પડશે. અહીં પાકિસ્તાનના કાયદાથી રહેવું પડશે . આ પાકિસ્તાનની જીત છે.''
"1) They wanted acquittal, that's not been accepted.
2) They wanted release, thats not been accepted.
3) They wanted return, that has been rejected.
If they still want to claim victory.... Good Luck! - @SMQureshiPTI#KulbushanVerdictpic.twitter.com/gfbe66GgKh
તમને જણાવી દઇએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી વિવાદના વિષય રહેલા કુલભૂષણ જાધવના મામલામાં ICJએ ભારતના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. કોર્ટે જાધવની ફાંસી પર રોક લગાવી દીધી અને પાકિસ્તાનને આ નિર્ણય પર પુનર્વિચાર અને સમીક્ષા કરવાના આદેશ આપ્યા હતા.