પાકિસ્તાને દરેક નાગરિક ઉડ્ડયન માટે પોતાનું એરસ્પેસ ખોલી દીધુ છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ મંગળવાર સવારથી પાકિસ્તાને ભારતના નાગરિક ઉડ્ડયન માટે પોતાની હવાઇ સીમા પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. જેના કારણે ટૂંક સમયમાં જ ભારતના વિમાન પાકિસ્તાનના એરસ્પેસ પરથી આવન-જાવન કરી શકશે.
Pakistan Civil Aviation Authority issues notice to airmen (NOTAM), states "with immediate effect Pakistan airspace is open for all type of civil traffic on published ATS (air traffic service) routes". pic.twitter.com/UMuOnK3WSg
પાકિસ્તાનના આ પગલાથી સૌથી મોટી રાહત એર ઇન્ડિયાને મળવાની આશા છે. પાકિસ્તાન દ્વારા પોતાનું એર સ્પેસ બંધ કરી દેવામાં આવતાં એર ઇન્ડિયાને અંદાજે 491 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. એર ઇન્ડિયાએ પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાનનો એર ટ્રાફિક રૂટ બદલવો પડ્યો હતો.
સૂત્રોને મળતી જાણકારી મુજબ પાકિસ્તાને આજથી બધી ઉડાન માટે આજે અંદાજે 12.41 વાગ્યાની આસપાસ પોતાનું એરસ્પેસ ખોલી દીધું છે. ભારતીય એરલાઇન કંપનીના વિમાન જલ્દી જ પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ શરૂ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે 26 ફેબ્રુઆરીમાં પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલી જવાબી કાર્યવાહીના પગલે પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું.