કાશ્મીર મામલાનો વિરોધ કરવાનો પ્રયત્ન કરી રહેલા પાકિસ્તાનનો ફિયાસ્કો ફરી થયો છે. જો કે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે સમર્થન નથી મળી રહ્યું તેમ છતાં પોતાની નાપાક હરકતોને છોડી રહ્યું નથી. મંગળવારે લંડનમાં થયેલા ભારત વિરોધી પ્રદર્શનમાં પણ પાકિસ્તાન ફરી અપમાનજનક સ્થિતિમાં મુકાયું હતું.
ચાર પાકિસ્તાનના નેતા ભારત વિરોધી અભિયાનને ભડકાવવા પહોંચ્યા હતા. પરંતુ તેના પર જ પ્રદર્શનકારીઓએ ઇંડા અને ચપ્પલો ફેંક્યા હતા. કાશ્મીર વિરોધી પ્રદર્શનકારીઓનું માનવું હતું કે પાકિસ્તાન તેમનો તેમના ફાયદા માટે ઉપયોગ કરવા ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે યાસીન મલિકની જમ્મૂ-કાશ્મીર લિબ્રેશન ફ્રંટ (JKLF) દ્વારા લંડનમાં 'કાશ્મીર ફ્રીડમ માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અંદાજે 10 હજાર કાશ્મીરી, બ્રિટિશ પાકિસ્તાની અને ખાલિસ્તાન સમર્થક શિખ લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
જમ્મ-ૂકાશ્મીર નેશનલ અવામી પાર્ટી, યૂકે અને જમ્મૂ-કાશ્મીર નેશનલ સ્ટૂડેન્ટસ ફેડરેશન પણ આ રેલીમાં જોડાયા હતા. પાકિસ્તાનના નેતાઓની ઉપસ્થિતિથી તેઓ ખુશ નહોતા. જેના કારણે પ્રદર્શનકારીઓએ પાકિસ્તાની નેતાઓને ભાષણ કરતાં રોક્યાં એટલું જ નહીં પરંતુ તેમના પર ઇંડા અને ચપ્પલોનો વરસાદ કર્યો.
સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને બેરિસ્ટર સુલ્તાન મહમૂદ ચૌધરીને અહીં મોકલ્યા હતા. તેઓ પ્રદર્શનકારીઓને સંબોધન કરવાગયા હતા. સુલ્તાન મહેમૂદ ચૌધરી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ છે.
પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર બેરિસ્ટર સુલ્તાનતેમના 35 થી 40 બોડીગાર્ડ સાથે અહી આવ્યા હતા પરંતુ તેમનું સ્વાગત ઇંડા અને ચપ્પલોથી કરવામાં આવ્યું હતું.
બેરિસ્ટર સુલ્તાન સાથે ઇમરાન ખાને ચૌધરી એમ યાસીન, રાજા ફારૂખ હૈદર અને શાહ ગુલામ કાદિરને પણ મોકલ્યા હતા. આ બધા નેતાઓ પાર્લામેન્ટ સ્કેવરમાં એકઠા થયા હતા. જ્યાં ગાંધીજીની પ્રતિમા પાસે પીઓકેને ઝંડો લગાવામાં આવ્યો હતો.