આતંકીઓને લઈને પાકિસ્તાનની દરિયાદિલી ફરી એકવાર સામે આવી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આતંકવાદી અને 26-11 હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પર પાકિસ્તાને ફરી એકવાર દરિયાદીલી દર્શાવી. હાફિઝના સંગઠન જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયતને પાકિસ્તાને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાંથી હટાવી દીધું છે.
મહત્વની વાત છે કે પૂર્વ રાષ્ટ્રપતિએ વટહુકમ જાહેર કરીને હાફિઝ સઈદ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. પરંતુ હવે પાકિસ્તાનની નવી સરકાર તેને આગળ વધારવા માગતી નથી. ત્યારે હવે ઈમરાન ખાન પાસેથી આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની આશા રાખવી પણ ખોટી છે.
ફેબ્રુઆરીમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મમનૂન હૂસૈનના એક વટહુકમ દ્વારા આતંકવાદ વિરોધી અધિનિયમ 1997માં સંશોધન કર્યુ હતું. જે બાદ આતંકીઓ અને સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેમનું નામ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની લિસ્ટમાં હતું. આ બંને સંગઠન પર પણ વટહુકમ બાદ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને એક અધ્યાદેશ દ્વારા આતંકવાદ વિરોધી અધિનિયમ 1997 માં સંશોધન કર્યું છે. જે બાદ તે આંતકવાદીઓ અને સંગઠનો પર પ્રતિબંધન લાદ્યો હતો. જેનું નામ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની યાદીમાં દાખલ કરવામાં આવી હતી. JuD અને FIF પણ આ અધ્યાદેશ દ્નારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
ઇમરાન સરકારે અધ્યાદેશ(અધિનિયમ)ને આગળ વધાર્યો નહીં
સઇદ દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી અનુસાર તેના વકીલ રીઝવાન અબ્બસી અને સોહેલે ઇસ્લામાબાદ હાઇકોર્ટને ગુરૂવારના રોજ જણાવેલ કે આ અધિનિયમ હવે માન્ય નથી કારણ કે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સરકારે આગળ વધાર્યો હતો.