જમ્મૂ કાશ્મીરના કુપવાડાના કેરન અને મછલ સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ વિના કોઇ ઉશ્કેરણીએ સવારે 11 વાગ્યાથી ફાયરિંગ શરૂ કરી દીધું. પાક.એ પહેલા નાના હથિયારો અને મોર્ટારનો ઉપયોગ કર્યો તો સેનાએ તેનો મજબૂતીથી મુંહતોડ જવાબ આપ્યો. ત્યારબાદ ગભરાયેલા પાકિસ્તાને નાગરિકોના રહેઠાણને નિશાન બનાવી ફાયરિંગ શરૂ કરી દીધું.
દુનિયા કોરોના મહામારીનો કરી રહી છે સામનો, ભારતમાં આતંકી ઘુસણખોરીની ફિરાકમાં પાકિસ્તાન
પાકિસ્તાને આંતકી ઘુસણખોરી માટે શુક્રવારે એલઓસી પર કેરન સેક્ટરમાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન
જવાબી કાર્યવાહીમાં સેનાએ પણ પોતાની 105 એમએમ ફીલ્ડ ગન અને બોફોર્સ ગનથી સટીક ફાયરિંગ કર્યું જેથી પાક સેનાના હથિયારોના ડિપોની સાથે-સાથે આંતકીઓના લોન્ચિંગ પેડ પૂર્ણ રીતે નષ્ટ થઇ ગયા.
આ પાકિસ્તાનનો અશ્વકામના દક્ષિણીથી લઇને નીલમ વૈલીનો વિસ્તાર છે. ખાસ વાત એ છે કે સેનાની મોટાભાગની ફાયરિંગ પાકિસ્તાની સીમાથી જે દિશામાંથી ફાયરિંગ કરાઇ રહી હતી, ભારતીય જવાનોએ તેમની ચોકીઓને નિશાન બનાવતા શેલ છોડ્યા. જ્યારે તેનાથી ઉલટ પાક.એ સેનાની ચોકીઓની જગ્યાએ નાગરિકોના રહેઠાણને નિશાન બનાવ્યા.
સેના પાસેથી મળતી જાણકારી મુજબ, પાક સેના અને આંતકીઓને સેનાની કાર્યવાહીમાં ઘણુ નુકશાન થયું છે. ભારતીય સેનાએ તેના ઘણા બંકરોને નેસ્તાનાબૂદ કરી દીધા છે. હાલ તો પાકિસ્તાની સીમામાં પાક. સેનાના કેટલા જવાન અને કેટલા આતંકીઓ માર્યા ગયા, તેની કોઇ સત્તાવાર પુષ્ટી થઇ નથી. પરંતુ સેના તરફથી જે એરિયલ ફુટેજ મળ્યા છે તેનાથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે પાક.ના હથિયાર ડિપો પૂર્ણ રીતે બરબાદ થઇ ગયા છે.
પાકિસ્તાન સેનાની કાર્યવાહીથી એલઓસીની પાસે રહેનારા લોકોના ઘરોને નુકશાન પહોંચ્યું છે, જોકે સેનાને કોઇ નુકશાન થયું નથી. ભારતીય બોર્ડરની રક્ષા માટે તહેનાત જવાનોએ પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ કૃત્યનો મુંહતોડ જવાબ આપ્યો. પરિણામે પાકિસ્તાને અઢી વાગ્યા સુધીમાં ફાયરિંગ બંધ કરી દીધુ હતું. આ પહેલા 5 એપ્રિલે કેરન સેક્ટરમાં જ ભારતીય સેનાએ 5 ઘુસણખોરોને ઠાર માર્યા હતા, જેમા આપણા 5 જવાનો પણ શહીદ થયા હતા.