શું પગમાં કાળો દોરો બાંધવાથી રાહુ-કેતુ અને શનિના ક્રોધમાંથી મુક્તિ મળી જાય છે. આખરે તેની પાછળની વાસ્તવિકતા શુ છે. આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ છીએ.
પગમાં કાળો દોરો બાંધવાથી રાહુ-કેતુ અને શનિના ક્રોધમાંથી મુક્તિ મળે
જીવનમાં આવતી સમસ્યાઓ થશે દૂર
કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ મજબૂત થઇ શકે
પગમાં કાળો દોરો ધારણ કરવાથી શું ફાયદો થઇ શકે?
તમે ઘણા બધા લોકોને અવાર-નવાર પોતાના પગમાં કાળો દોરો બાંધેલો જોયો હશે. તેમાંથી ઘણા લોકો ફેશન સ્વરૂપે પગમાં કાળો દોરો બાંધે છે તો ઘણા લોકો પરાલૌકિક સમસ્યાના સમાધાન માટે આ ઉપાય કરે છે. જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો તેમાં કહેવામાં આવ્યું છે કે પગમાં કાળો દોરો બાંધવાથી કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ મજબૂત થઇ શકે છે. જો તમે પગમાં કાળો દોરો ધારણ કરો તો જીવનમાં આવતી સમસ્યાઓ કઈ રીતે દૂર થઇ શકે છે.
પગમાં કાળો દોરો પહેરવાના ફાયદા
રાહુ-કેતુને મજબૂત બનાવવા માટે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે લોકોની કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ નબળી હોય, તેમણે કોઈ એક પગમાં કાળો દોરો અવશ્ય બાંધવો જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી રાહુ-કેતુ પ્રસન્ન થાય છે અને જીવનમાં આવતી ઘણી સમસ્યાઓ આપોઆપ હલ થવા લાગે છે.
શનિનો પ્રભાવ થાય છે ઓછો
શનિ દેવને ક્રોધી ગ્રહ માનવામાં આવે છે. જેના પર ક્રોધિત થાય છે, તેમના જીવનમાં શનિની ઢૈયા અને સાડાસાતી શરૂ થતા વાર લાગતી નથી. માન્યતા છે કે પગમાં કાળો દોરો બાંધવાથી શનિ દેવ રાજી રહે છે, જેનાથી આંતરિક કલહ અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળી જાય છે.
પુરૂષો કયા પગમાં ધારણ કરે દોરો
જ્યોતિષ વિદ્ધાનો મુજબ પુરૂષ જો પગમાં કાળો દોરો બાંધવા માંગે છે તો તેમણે મંગળવારે જમણા પગમાં તેને ધારણ કરવો જોઈએ. આમ કરવાથી કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત રહે છે. આ સાથે રાહુ-કેતુ પણ પરેશાન કરતા નથી.
મહિલાઓ આ પગમાં પહેરે કાળો દોરો
મહિલાઓ જો પગમાં કાળો દોરો બાંધવા માગે છે તો તેના માટે ડાબા પગમાં દોરો પહેરવો યોગ્ય રહે છે. મહિલાઓએ આ દોરાને શનિવારે પગમાં ધારણ કરવો જોઈએ. આમ કરવાથી માનસિક શાંતિ મળે છે અને હેલ્થ સારું રહે છે.