મુંબઇઃ ફિલ્મોને સર્ટીફિકેટ આપતા સેન્સર બોર્ડનો ફરી વિવાદ સામે આવ્યો છે. ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીની ફિલ્મમાં સેન્સર બોર્ડે 20 કટ લગાવતા તેમણે નારાજગી વ્યક્ત કરી છે. પહલાજ નિહલાનીએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને ન્યાય આપવા અપીલ કરી છે.
પહલાજ નિહલાનીની ફિલ્મ 'રંગીલા રાજા'માં ગોવિંદા મુખ્ય ભૂમિકામાં છે. નિહલાનીએ આરોપ લગાવ્યો કે પ્રસૂન જોશીએ મારી ફિલ્મ 40 દિવસ સુધી રોકી રાખી. 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ને ખોટી રીતે ફાયદો પહોંચાડ્યો છે.
આટલેથી જ ન અટકતા પહલાજ નિહલાનીએ કહ્યું કે આમીર ખાન અને સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન જોશી સારા મિત્ર છે એટલે મારા વિરુદ્ધ બદલાની ભાવનાથી સેન્સર બોર્ડ વર્તન કરી રહ્યું છે. પહલાજ નિહલાની પોતે પણ સેન્સર બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. ફિલ્મ 'ઉડતા પંજાબ'ની રિલીઝને લઇને નિહલાની વિવાદમાં આવ્યા હતા.