બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / મૃતક શૈલેષ કળથિયાની અંતિમ યાત્રા નીકળી, પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ

દુઃખદ / મૃતક શૈલેષ કળથિયાની અંતિમ યાત્રા નીકળી, પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ

Last Updated: 10:27 AM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pahalgam: આતંકી હુમલાનો ભોગ બનેલા સુરતના શૈલેષભાઈ કળથીયાની અંતિમ યાત્રા નીકળી. મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા. ધારાસભ્ય વીનુ મોરડીયા પરિવારને સાંત્વના આપવા મૃતકના ઘરે પહોંચ્યા.

સુરત: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ભોગ બનેલા મૃતક શૈલેષભાઈ કળથીયાની આજે સવારે અંતિમ યાત્રા નીકળી. શૈલેષભાઈ કળથીયાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. માહિતી પ્રમાણે કઠોર અબ્રામા સ્મશાનમાં તેમના પાર્થિવ મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

vlcsnap-2025-04-24-09h07m30s966

આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા શૈલેષભાઈ કળથીયાનો પાર્થિવ દેહ ગઈ રાતે સુરત લાવવામાં આવ્યો હતો અને સુરત સ્મીમેર હોસ્પિટલમાં તેમના દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંતિમ વિધિ માટે શૈલેશભાઈના પાર્થિવ દેહને નિવાસ્થાને લાવતાની સાથે જ પરિજનોના ભારે આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ.

આજે સવારે શૈલેષભાઈના ઘરેથી તેમની અંતિમયાત્રા નીકળી. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. તેમની અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. સાથે જ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય વીનુ મોરડીયા, ધારાસભ્ય કુમાર કાનાની સહિતના આગેવાનો તેમની અંતિમ ક્રિયામાં જોડાવા માટે પહોંચ્યા હતા.

vlcsnap-2025-04-24-09h08m02s154

ધારાસભ્ય વીનુ મોરડીયા પરિવારને સાંત્વના આપવા મૃતકના ઘરે પહોંચ્યા. દરમિયાન ધારાસભ્ય વીનુ મોરડીયાએ કહ્યું, "સ્વાભાવિક છે કે જે પ્રકારની ક્રૂર ઘટના બની છે એટલે આખા દેશ અને સુરતમાં અને ગુજરાતમાં ગમગીન માહોલ છે, લોકોનો આક્રોશ પણ છે. જેમનું મૃત્યુ થયું છે, તેમની અંતિમ વિધિમાં હું હાજરી આપવા આવ્યો છું." વધુમાં તેમણે કહ્યું, "જે પ્રકારની આતંકીઓની માનસિકતા છે, એ તેમને પ્રદર્શિત કરી છે, પણ કાયરતાનું વરવું દ્રશ્ય ખડું કર્યું છે, દેશમાં અને લોકોમાં ખૂબ રોષ અને ગમગીની છે. આ દેશ જ એમને એમનો જવાબ આપશે."

vlcsnap-2025-04-24-09h08m14s560

દરમિયાન પરિવારને સાંત્વના આપવા MLA કુમાર કાનાની મૃતકના ઘરે પહોંચ્યા. કુમાર કાનાનીએ કહ્યું, "આ ઘટના ઘણી ગંભીર છે. આપને વાતો કરતા હોઈએ છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, પરંતુ આ હુમલાએ સ્પષ્ટ કર્યું છે કે કયો ધર્મ આતંકવાદમાં ભારે છે. નામ પૂછીને ધર્મ પૂછીને ગોળીઓ મારી છે. દેશની જનતાને વડાપ્રધાન મોદી પાસેથી જે અપેક્ષા છે, સરકાર એ પ્રમાણે જ આગળ કાર્યવાહી કરશે."

આ પણ વાંચો: કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને પરત લવાશે, સરકારે મંગાવી યાદી

મહત્ત્વનું છે કે, જયારે શૈલેષભાઈનું પાર્થિવ શરીર સુરત લાવવામાં આવ્યું ત્યારે સુરત એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. મૃતકના પરિવારના દુઃખમાં સહભાગી થવા અને સાંત્વના પાઠવવા કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. આ દરમિયાન અહીં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. સાથે જ તેમણે આતંકવાદીઓ સામે કડકમાં કડક પગલાં ભરવાની ઈચ્છા દર્શાવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shailesh Kalthia Surat News Pahalgam Terror Attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ