બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:18 AM, 25 April 2025
Pahalgam Terror Attack : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા છે. હુમલા પછી તરત જ ભારતે ઘણા કઠોર નિર્ણયો લીધા જેમાં દેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોએ 27 એપ્રિલ સુધીમાં દેશ છોડી દેવો પડશે. હવે આ નિર્ણયને કારણે પાકિસ્તાનથી આવેલા ઘણા લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ફરીથી તેમના પ્રિયજનોથી દૂર જવા માટે મજબૂર થઈ રહ્યા છે. એક હિન્દુ માતા પણ આ નિર્ણયનો ભોગ બની રહી છે કારણ કે, તેમને તેમના નાના બાળકને છોડીને પાકિસ્તાન જવું પડી શકે છે.
ADVERTISEMENT
રાજસ્થાનના જેસલમેરમાં રહેતી 27 વર્ષીય પાકિસ્તાની નાગરિક રાધા ભીલને ફરીથી તેના નાના પુત્રથી અલગ થવું પડી શકે છે. 2 વર્ષની લાંબી રાહ જોયા પછી રાધા ફક્ત 20 દિવસ પહેલા જ તેના પ્રિય બાળકને ભેટી શકી. પરંતુ હવે પહેલગામ હુમલા પછી પુત્રને ફરીથી તેની માતાથી અલગ થવું પડી શકે છે.
દેશ છોડવાની અંતિમ તારીખ 27 એપ્રિલ
ADVERTISEMENT
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે તાત્કાલિક કાર્યવાહી કરી અને પાકિસ્તાની વિઝા રદ કરવાનો નિર્ણય લીધો અને આદેશ આપ્યો કે ભારતમાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોએ 27 એપ્રિલ સુધીમાં દેશ છોડી દેવો પડશે. આ આદેશ પછી પાકિસ્તાનથી આવતા લોકો માટે અહીં રહેવું મુશ્કેલ બની ગયું છે પરંતુ પરિવાર સતત પ્રયાસ કરી રહ્યો છે કે, માતા અને પુત્રને ફરીથી અલગ ન થવું પડે. દેશ છોડવાની અંતિમ તારીખ 27 એપ્રિલ છે તેથી જોવાનું એ રહે છે કે ભારતીય વહીવટીતંત્ર આ નાના બાળકને તેની માતા સાથે રહેવાની છૂટ આપે છે કે નહીં.
રાધાની જેમ રાજસ્થાનમાં પાકિસ્તાનથી ઘણા હિન્દુ પરિવારો છે જે શોર્ટ ટર્મ વિઝા (STV) પર અહીં આવ્યા છે. એકલા જેસલમેરમાં ટૂંકા ગાળાના વિઝા પર આવેલા 1,200 થી વધુ પાકિસ્તાની નાગરિકો અત્યંત દુઃખી છે કારણ કે તેમના પર દેશ છોડવાની તલવાર લટકી રહી છે.
લાંબા ગાળાના વિઝા (LTV) ધરાવતા લોકો માટે ASP (CID) નરપત સિંહ જે ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસર (FRRO) પણ છે તેમણે એક ખાનગી મીડીયા હાઉસને જણાવ્યું હતું કે, તેમની ઓફિસ ગૃહ મંત્રાલયના આદેશની રાહ જોઈ રહી છે કારણ કે, એવી ખાતરી આપવામાં આવી છે કે લાંબા ગાળાના વિઝા ધારકોને હાલમાં ચિંતા કરવાની જરૂર નથી.
બાળક 2023માં માતા સાથે આવી શક્યું નહીં
રાધા ભીલ અને તેમના પતિ રાજુ રામ (30) અને તેમની બે પુત્રીઓ 8 અને 7 વર્ષની ફેબ્રુઆરી 2023 માં ટૂંકા ગાળાના વિઝા પર ભારત આવ્યા હતા. જોકે ભીલ દંપતીના પુત્ર ઘનશ્યામ જે તે સમયે 2 મહિનાથી ઓછો હતો તેને વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે રાજુ રામના માતા-પિતાને પણ ટૂંકા ગાળાના વિઝા આપવામાં આવ્યા ન હતા. ઘનશ્યામ અને તેના દાદા-દાદીને STV દ્વારા ભારત આવતા 2 વર્ષ લાગ્યા. આ લોકો 6 એપ્રિલના રોજ ભારતમાં રહેવા આવ્યા હતા.
મારે ફરી એકવાર અલગ થવું પડશે : લાચાર માતા
સરકારના નિર્ણયથી લાચાર માતા ખૂબ જ દુઃખી છે. રડતા રડતા રાધાએ કહ્યું, મેં મારા બાળકને મારા હાથમાં રાખવા માટે બે વર્ષ રાહ જોઈ પણ તેની સાથે થોડા દિવસો વિતાવ્યા પછી મારે ફરીથી તેનાથી અલગ થવું પડશે.
પાકિસ્તાનને ભારતે આપ્યો મોટો ફટકો, જાણો શું ? અહીં ક્લિક કરો
તેવી જ રીતે જેસલમેરમાં ધાર્મિક અત્યાચારથી બચવા માટે પાકિસ્તાનથી ભારત ભાગી ગયેલા શરણાર્થી દિલીપ સિંહ સોઢાએ કહ્યું, તમે અમને અહીં ગોળી મારી શકો છો. જો અમે અહીં મરી જઈએ તો ઓછામાં ઓછું અમારી રાખ હરિદ્વારમાં વિસર્જન કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.