બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'આતંકીઓને માટીમાં ભેળવી દઈશું..', બિહારની ધરતી પરથી PM મોદીનો પેગામ

સંદેશ / 'આતંકીઓને માટીમાં ભેળવી દઈશું..', બિહારની ધરતી પરથી PM મોદીનો પેગામ

Last Updated: 02:27 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારથી પીએમ મોદીએ ગર્જના કરી કે આતંકવાદીઓનો સફાયો કરવાનો સમય આવી ગયો છે. તમારી કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વચ્ચે વડાપ્રધાન મોદી બિહારમાં છે. મધુબનીમાં પીએમ મોદીની રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા. દરમિયાન રેલીને સંબોધિત કરવા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે પણ વાત કરી. બિહારથી પીએમ મોદીએ ગર્જના કરી કે આતંકવાદીઓનો સફાયો કરવાનો સમય આવી ગયો છે. તમારી કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.

આ રેલીમાં, પોતાના ભાષણની શરૂઆતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા થોડા સમય માટે મૌન પાળીને પહેલગામમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કરી દીધું છે કે દેશની આત્માને નુકસાન પહોંચાડનારા આતંકવાદીઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ લોકોને જેટલી ક્રુરતાથી હત્યા કરી તેનાથી કરોડો દેશવાસીઓ દુઃખી છે. તમામ પીડિત પરિવારોના આ દુઃખમાં આખો દેશ તેમની સાથે ઉભો છે. જે ઘાયલોની હજુ પણ સારવાર ચાલી રહી છે, તેઓ જલ્દી સ્વસ્થ થાય એના માટે પણ સરકાર પ્રયાસો કરી રહી છે.

આતંકવાદીઓને કલ્પના કરતાં પણ મોટી સજા

મિત્રો, આ આતંકવાદી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાનો જીવનસાથી ગુમાવ્યો છે. તેમાંના કેટલાક બંગાળી બોલતા હતા, કેટલાક કન્નડ બોલતા હતા, કેટલાક મરાઠી બોલતા હતા, કોઈ ઉડિયા હતું, કોઈ ગુજરાતનું હતું તો કોઈ બિહારના લાલ હતા. પીએમએ કહ્યું કે પ્રવાસીઓની હત્યા કરનારા આતંકવાદીઓને તેમની કલ્પના કરતા પણ મોટી સજા આપવામાં આવશે. પીએમએ કહ્યું કે હું બિહારની ધરતી પરથી આખી દુનિયાને કહેવા માંગુ છું કે આવા હુમલાઓથી દેશનું મનોબળ તોડી શકાતું નથી. આતંકવાદી હુમલા પછી, હવે ન્યાય અપાવવા માટે ભારત બધું જ કરશે.

આ પણ વાંચો: પહેલગામ હુમલા વચ્ચે ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

અમે આતંકવાદીઓને માટીમાં ભેળવી દઈશું - પ્રધાનમંત્રી

આતંકવાદીઓ પર પોતાના અંદાજમાં પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે જેમણે આ હુમલો કર્યો છે એ આતંકવાદીઓ અને આ હુમલાનું કાવતરું ઘડનારાઓને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે. આ સજા મળીને રહેશે. હવે આતંકવાદીઓની બચેલી જમીનને પણ માટીમાં ભેળવી દેવાનો સમય આવી ગયો છે. પીએમએ કહ્યું કે બિહારની ધરતી પરથી હું આખી દુનિયાને કહું છું કે ભારત બધા આતંકવાદીઓની ઓળખ કરીને તેમને સજા આપશે. ભારતની તાકાતને આતંકવાદ તોડી શકશે નહીં. અમે આ મામલે ન્યાય માટે દરેક કામ કરીશું. જે લોકો માનવતામાં વિશ્વાસ કરે છે તેઓ અમારી સાથે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam attack news pm modi National News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ