બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'ભારતે સર્જિકલ સ્ટ્રાઈક જેવું પગલું ન ભરવું જોઈએ...', ભારતની કાર્યવાહી વચ્ચે PM શાહબાઝે આજે બોલાવી બેઠક

વિશ્વ / 'ભારતે સર્જિકલ સ્ટ્રાઈક જેવું પગલું ન ભરવું જોઈએ...', ભારતની કાર્યવાહી વચ્ચે PM શાહબાઝે આજે બોલાવી બેઠક

Last Updated: 06:21 AM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pahalgam Terror Attack : પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે આજે એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી તો સંરક્ષણ પ્રધાને કહ્યું, અમને આશા છે કે ભારત સર્જિકલ સ્ટ્રાઈક જેવું કોઈ બેજવાબદાર પગલું નહીં ભરે.

Pahalgam Terror Attack : પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. આમાં 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય પણ શામેલ છે. આ પછી પાકિસ્તાન ગભરાટમાં છે. એક તરફ પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે આજે એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે. આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે, અમને આશા છે કે ભારત સર્જિકલ સ્ટ્રાઈક જેવું કોઈ બેજવાબદાર પગલું નહીં ભરે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક પાકિસ્તાની ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, જો ભારત તરફથી કોઈ દબાણ કે હુમલો થશે તો હું તેને દુર્ભાગ્યપૂર્ણ કહીશ પરંતુ અમે તેનો જવાબ આપીશું. આમાં કોઈ શંકા ન હોવી જોઈએ. ખ્વાજા આસિફે કહ્યું કે, તમને યાદ હશે કે છેલ્લી વખત જ્યારે આપણા હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન થયું હતું, ત્યારે આપણે જે જવાબ આપ્યો હતો તે આજે પણ બધાને યાદ છે. હું હમણાં કોઈ પણ બાબતમાં અનુમાન લગાવવા માંગતો નથી. પરંતુ અમને આશા છે કે, ભારત સર્જિકલ સ્ટ્રાઈક જેવું કોઈ બેજવાબદાર પગલું નહીં ભરે.

આ સાથે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, આ હુમલો ત્યારે થયો જ્યારે US ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતમાં હાજર હતા, તો તેનો ફાયદો કોને થઈ શકે? આ અંગે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કહ્યું કે હું આનો જવાબ આપી શકતો નથી. કારણ કે વિદેશ કાર્યાલય તેની તપાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં ભારતના 7 લાખથી વધુ સૈનિકો છે. કોઈએ તેમને પૂછવું જોઈએ કે ભારતીય સેના ત્યાં શું કરી રહી છે?

શાહબાઝે બોલાવી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક

આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, PM શાહબાઝ શરીફે કાશ્મીર હુમલા બાદ ભારતના નિવેદનનો જવાબ આપવા માટે ગુરુવારે (24 એપ્રિલ) રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે. નોંધનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા, ત્યારબાદ ભારત ઝડપી કાર્યવાહીના મૂડમાં છે. આ ક્રમમાં બુધવારે સાંજે CCS ની બેઠક યોજાઈ હતી. આ પછી, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી.

વધુ વાંચો : આતંકી હુમલા બાદ ભારતે કરી સિંધુ સંધિ સ્થગિત, જાણો લાખો પાકિસ્તાનીઓ પાણીના ટીપા માટે કેવી તરસી જશે ?

ભારતના પાકિસ્તાન વિરુદ્ધ 5 મોટા નિર્ણયો

આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ 5 કડક નિર્ણયો લેવામાં આવ્યા. સૌ પ્રથમ ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવામાં આવશે. આ એક મોટું પગલું છે જે બંને દેશો વચ્ચે મર્યાદિત અવરજવરને પણ રોકી દેશે. બીજો નિર્ણય - પાકિસ્તાનમાં ભારતનું દૂતાવાસ હવે બંધ રહેશે. ત્રીજો નિર્ણય - સિંધુ જળ સંધિ પણ અટકાવી દેવામાં આવી છે. આનાથી પાકિસ્તાન પર મોટા પાયે અસર પડશે. ચોથો નિર્ણય - ભારતમાં હાજર તમામ પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાંચમો નિર્ણય- હવે પાકિસ્તાનીઓને ભારતીય વિઝા નહીં મળે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

shahbaz sharif Pakistan Pahalgam Terror Attack
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ