બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારતમાં નહીં રહી શકે અને પાકિસ્તાને એન્ટ્રીની પાડી ના, પહેલગામ હુમલા વચ્ચે બરાબરની ફસાઈ સના

ઉત્તર પ્રદેશ / ભારતમાં નહીં રહી શકે અને પાકિસ્તાને એન્ટ્રીની પાડી ના, પહેલગામ હુમલા વચ્ચે બરાબરની ફસાઈ સના

Last Updated: 11:48 AM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meerut Muslim Woman : ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મહિલા છે જે કેન્દ્રના નિર્ણય પછી ભારતમાં રહી શકશે નહીં અને પાકિસ્તાન પણ હવે તેને પ્રવેશ આપી રહ્યું નથી, જાણો શું છે કારણ ?

Meerut Muslim Woman : 22 એપ્રિલ 2025 અને જમ્મુ કાશ્મીરનું પહેલગામ...... આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા. જે બાદમાં દેશભરમાં શોક અને આક્રોશની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે પાકિસ્તાનને લઈ કેટલાક મોટા નિર્ણયો પણ લીધા. આ નિર્ણયોમાંનો એક નિર્ણય હતો ભારતમાં વસતા પાકિસ્તાનીઓને દેશ છોડવા જણાવાયું. પહેલગામ હુમલા બાદ ભારતમાં રહેતા તમામ પાકિસ્તાનીઓને પાછા મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મહિલા છે જે કેન્દ્રના નિર્ણય પછી ભારતમાં રહી શકશે નહીં અને પાકિસ્તાન પણ હવે તેને પ્રવેશ આપી રહ્યું નથી.

શું છે મેરઠની આ મહિલાની કહાની ?

મેરઠના સરધનાના મોહલ્લા ઘોસિયાનના રહેવાસી પીરુદ્દીનની પુત્રી સનાના લગ્ન પાકિસ્તાનમાં થયા છે. લગભગ એક અઠવાડિયા પહેલા સના તેના બે બાળકો સાથે ભારત આવી હતી. સનાને 45 દિવસનો વિઝા મળ્યો હતો. જોકે કરમની કઠણાઇ ગણો કે બીજું કઈં પણ આ દરમિયાન પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો. પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલ કરવાનો આદેશ જાહેર થયા પછી મેરઠ વહીવટીતંત્રે સનાનો સંપર્ક કર્યો અને તેના વિઝા રદ કર્યા અને તેને પાકિસ્તાન પાછા ફરવાનું કહ્યું.

સના વાઘા બોર્ડર તો પહોંચી પણ પછી જે થયું.....

શુક્રવારે સવારે સના અને બંને બાળકોને લઈને ગુપ્તચર પોલીસની એક ટીમ વાઘા બોર્ડર જવા રવાના થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર વાઘા બોર્ડર બંધ થવાને કારણે સના અને તેના બે બાળકો પાકિસ્તાનમાં પ્રવેશી શક્યા નહીં અને તેમને અમૃતસરમાં રોકવામાં આવ્યા છે.

વધુ વાંચો : પહેલગામ પર હુમલો થતા આ બાળક તેની માતાથી થઈ જશે અલગ! જાણો શું છે કારણ

સનાને પાકિસ્તાન મોકલવાના પ્રયાસો ચાલુ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે. સરકારે આદેશ જાહેર કર્યા પછી પોલીસ ટીમો લોકોનો સંપર્ક કરી રહી છે અને તેમને સુરક્ષિત રીતે સરહદ પર લઈ જઈ રહી છે. આવી સ્થિતિમાં સનાને પણ પરત મોકલી દેવામાં આવી હતી પરંતુ પાકિસ્તાની સરહદ બંધ થવાને કારણે સના ભારતમાં અટવાઈ ગઈ છે. ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરીને સનાને પરત મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો : શું સારવાર કે શિક્ષણ માટે આવેલા પાકિસ્તાનીઓને પણ ભારત છોડવું પડશે? જાણો તમામ સવાલોના જવાબ

150 પાકિસ્તાનીઓને પાછા મોકલવામાં આવ્યા

મેરઠ ઝોનના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકારે ટૂંકા ગાળાના વિઝા પર ભારત આવેલા પાકિસ્તાનીઓને પાછા મોકલવાનું શરૂ કરી દીધું છે. શુક્રવાર સાંજ સુધીમાં મેરઠ ઝોનમાંથી 150 પાકિસ્તાની નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે. ADG ઝોન ભાનુ ભાસ્કરે જણાવ્યું હતું કે, સહારનપુર, મુઝફ્ફરનગર, શામલી, મેરઠ, બાગપત, હાપુડ અને બુલંદશહર સહિત 150 થી વધુ પાકિસ્તાની નાગરિકોને શુક્રવાર સાંજ સુધી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, UPમાં 1800 પાકિસ્તાની નાગરિકો છે, તેમને પાછા મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wagah border Muslim woman Pahalgam Terror Attack
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ