બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલગામમાં 'અદ્રશ્ય ઘોડા'એ પ્રવાસીનો જીવ બચાવ્યો, આતંકીઓ સામે જ હતા, જાણો હેરતઅંગેજ કિસ્સો

પહેલગામ એટેક / પહેલગામમાં 'અદ્રશ્ય ઘોડા'એ પ્રવાસીનો જીવ બચાવ્યો, આતંકીઓ સામે જ હતા, જાણો હેરતઅંગેજ કિસ્સો

Last Updated: 04:15 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલગામ આતંકી હુમલામાં એક અદ્રશ્ય ઘોડાએ કપલનો જીવ બચાવ્યો હતો, આતંકી હુમલા વચ્ચે ખૂબ હેરતઅંગેજ કિસ્સો સામે આવ્યો છે.

ક્યારેક કોઈ વસ્તુ ન મળવી પણ ફાયદાકારક બની રહેતી હોય છે. પેલી કહેવત છે ને 'આફતમાં અવસર' છુપાયેલો છે આ વાત પહેલગામમાં ફરવા ગયેલા એક પ્રવાસી માટે જડબેસલાક બેસી ગઈ. પહેલગામ આતંકી હુમલામાં મહારાષ્ટ્રના સાંગલીના સંતોષ જગદલે નામના શખ્સનો ચમત્કારિક બચાવ થયો હતો અને તેમના બચી જવા પાછળ એક 'અદ્રશ્ય' ઘોડો જવાબદાર છે. હકીકતમાં ઘોડા ન મળી શકવાને કારણે સંતોષનો જીવ બચી ગયો હતો. આ ખૌફનાક ઘટનાને યાદ કરતાં સંતોષે કહ્યું કે અમે પહેલગામમાં રાત રોકાયા હતા. સવારે, અમે સન ટોપ પોઈન્ટની મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું અને ત્યાં ઘોડા પર જવાતું હતું, પરંતુ ન મળતાં અમે બીજા રસ્તે ગયો, પરંતુ જો અમને ઘોડો મળ્યો હોત તો અમે એ જ માર્ગે ગયાં હોત જ્યાં આતંકીઓ કત્લેઆમ મચાવી રહ્યાં હતા અને આ રીતે ઘોડો ન મળવાને કારણે મારો જીવ બચી ગયો.

મારા જ નામવાળો વ્યક્તિ માર્યો ગયો-સંતોષ જગદલે

આતંકી હુમલામાંથી માંડ બચેલા સંતોષ જગદલેએ એવું કહ્યું કે આતંકી હુમલામાં મારા નામવાળા શખ્સ સંતોષ જગદલેનું મોત થયું હતું. સંતોષે એવું કહ્યું કે મારે ઘેર તો એવા સમાચાર ફેલાયાં હતા કે આતંકી હુમલામાં મારુ મોત થયું છે અને રોકકળ ચાલતી હતી પરંતુ જ્યારે તેમને ખબર પડી કે હું નહીં પણ મારા નામવાળો બીજો વ્યક્તિ માર્યો ગયો છે ત્યારે તેમણે હાશકારો લીધો હતો.

આતંકીઓએ મચાવી કતલેઆમ, 26 પ્રવાસીઓની હત્યા

ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી. આતંકીઓએ નામ અને ધર્મ પૂછી પૂછીને લોકોની કતલેઆમ મચાવી હતી.

કપડાં ઉતારીને ચેક કર્યું કે સુન્નત કરાવેલું છે કે નહીં?

હુમલામાં માંડ માંડ બચી ગયેલી એક મહિલાએ કહ્યું કે આતંકીઓએ તેના પતિનું નામ પૂછ્યું અને જ્યારે ખબર પડી કે તે મુસ્લિમ નથી ત્યારે માથામા ગોળી મારી દીધી હતી. આતંકીઓએ કેટલાક લોકોના કપડાં ઉતારીને તેમણે સુન્નત કરાવેલું છે કે નહીં તે ચેક કર્યું હતું.

આતંકીઓની પકડમાંથી પ્રોફેસર કેવી રીતે છટક્યાં?

આતંકી હુમલામાં ફસાયેલા આસામી યુનિવર્સિટીના બંગાળી પ્રોફેસર દેબાસિસ ભટ્ટાચાર્યે પોતાની સુઝબુઝથી આતંકીઓની પકડમાંથી પોતાનો જીવ બચાવ્યો હતો. પ્રોફેસરે એવો દેખાડો કર્યો કે આતંકીઓએ તેમને જીવતા જવા દીધા હતા. ખુદ પ્રોફેસરે આ આખી ઘટનાનું વર્ણન કરી દેખાડ્યું છે જે ખરેખર સાહસિક છે અને આતંકીઓ વચ્ચે ક્યારેક ફસાયેલા હોય તો કામ લાગી શકે તેમ છે. પ્રોફેસર દેબાસિસ ભટ્ટાચાર્યે કહ્યું કે પહેલગામમાં બૈસારિન ખીણ વિસ્તારમાં એક ઝાડ નીચે હું મારા પરિવાર સાથે સુતો હતો અને અચાનક મેં સાંભળ્યું કે લોકો કલમા વાંચી રહ્યાં હતા. ત્યારે મને ખબર પડી કે આતંકવાદી હુમલો થયો છે અને આતંકીઓ લોકોને કલમા (કૂરાનની આયાત) સંભળાવાનું કહી રહ્યાં છે અને જે નથી સંભળાવી શકતાં તેમને મારી નાખે છે. મને પણ કલમા આવડતાં હતા અને તેથી મેં પઢવાના શરુ કર્યાં, આ દરમિયાન એક આતંકવાદી તેમની પાસે આવ્યો અને કહ્યું કે 'ક્યાં કર રહે હો', જવાબ ન આપતાં મેં મોટે મોટેથી કલમા વાંચવાનું ચાલું રાખ્યું હતું જે પછી આતંકી જતો રહ્યો હતો. કદાચ તેને એમ થયું હશે કે હું મુસ્લિમ છું તેથી મને જવા દીધો, આ રીતે કલમા વાંચવાને કારણે મારો જીવ બચી ગયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam attack news pahalgam attack news Pahalgam massacre
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ