બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / પહેલગામ એટેક બાદ પાકિસ્તાનના સમર્થનમાં ઉતર્યો ખાલિસ્તાની આતંકી પન્નુ, કહ્યું 'અમે 2 કરોડ શિખ...'
Last Updated: 10:06 AM, 28 April 2025
Pahalgam Terror Attack : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. વિગતો મુજબ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પાકિસ્તાનને પોતાનો ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ ભારતીય સેનાને પાકિસ્તાન પર હુમલો કરવા દેશે નહીં. પન્નુએ એવો પણ દાવો કર્યો હતો કે, ભારત પાસે પાકિસ્તાન સામે લડવાની હિંમત નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનને શંકા છે કે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તેના પર હુમલો કરી શકે છે.
ADVERTISEMENT
ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું, અમે ભારતીય સેનાને પંજાબમાંથી પસાર થઈને પાકિસ્તાન પર હુમલો કરવા દઈશું નહીં. તેમણે વધુમાં કહ્યું, ભારતમાં પાકિસ્તાન સામે લડવાની હિંમત નથી. અમે 20 મિલિયન શીખો પાકિસ્તાન સાથે ખડકની જેમ ઉભા છીએ. તેમણે આરોપ લગાવ્યો કે, ભારતમાં શીખ અને અન્ય લઘુમતીઓ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. હવે સમય બદલાઈ ગયો છે આ 2025 છે, 1965 કે 1971 નહીં.
Gurpatwant singh pannu expressing solidarity with Pakistan. The Indian army will not pass through Punjab to attack Pakistan. 👌
— Umar Shahzad (@umarjalvi) April 28, 2025
Indian Muslims#IndiaPakistan#ImranKhanPTI#FreeKhanToLeadPakistan pic.twitter.com/uhqSbUQp5K
ADVERTISEMENT
જે કોઈ હુમલો કરે છે તેનો ખરાબ અંત આવે છે: પન્નુ
પોતાના નિવેદનમાં પન્નુએ કહ્યું કે પાકિસ્તાનનું નામ પોતે જ પવિત્રતાનું પ્રતીક છે અને તે તેમની પરંપરા છે કે તેઓ ક્યારેય હુમલો કરતા નથી. તેમણે ચેતવણી આપી હતી કે, જે કોઈ પણ હુમલો કરે છે તેનો અંત ખરાબ થાય છે. પન્નુએ આરોપ લગાવ્યો કે, ભારતે રાજકીય લાભ માટે પહેલગામમાં પોતાના જ હિન્દુઓની હત્યા કરી છે.
વધુ વાંચો : સિંધુ જળ સંધિ પર રોક લાગતા જ પાકિસ્તાન બોખલાયું, સૂચના મંત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન
નોંધનીય છે કે, મંગળવારે (22 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં 26 લોકો માર્યા ગયા હતા જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019માં પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી ઘાતક હુમલો હતો. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા (LET) ની શાખા, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી. PM મોદીએ કહ્યું કે, પહેલગામમાં લોકો પર હુમલો કરનારા આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.