બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / સિંધુ જળ સંધિ પર રોક લાગતા જ પાકિસ્તાન બોખલાયું, સૂચના મંત્રીએ આપ્યું ચોંકાવનારું નિવેદન
Last Updated: 08:09 AM, 28 April 2025
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સતત ભારતને ધમકી આપી રહ્યું છે. હવે વડા પ્રધાન શાહબાઝ શરીફ સરકારના મંત્રીએ કહ્યું કે, પાણી રોકવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધની ઘોષણા માનવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈપણ આક્રમણનો કડક જવાબ આપવામાં આવશે. પ્રવાસીઓ પરના હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ મુલતવી રાખવા સહિત 5 મોટા નિર્ણયો લીધા હતા.
ADVERTISEMENT
પાકિસ્તાન સરકારમાં માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે કહ્યું કે, ભારત રાજ્ય પ્રાયોજિત આતંકવાદમાં સીધું સંડોવાયેલું છે અને અમારી પાસે તેની પ્રવૃત્તિઓના પુરાવા છે. તેમણે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદીઓને ભંડોળ અને હથિયારો પૂરા પાડવાનો આરોપ લગાવ્યો. તેમણે ચેતવણી આપી હતી કે, પાકિસ્તાનના પાણીને રોકવાના કોઈપણ પ્રયાસને દુશ્મનાવટ તરીકે જોવામાં આવશે.
અહેવાલ મુજબ તરારે આતંકવાદમાં ભારતની ભૂમિકા અંગે કુલભૂષણ જાધવનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, જો આપણે કુલભૂષણ જાધવની ધરપકડ ન કરી હોત, તો આ હકીકતો ક્યારેય પ્રકાશમાં ન આવી હોત. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાકિસ્તાનના સુરક્ષા દળોએ આતંકવાદ સામે મોટી સફળતા મેળવી છે પરંતુ ભારતે જાફર ટ્રેન ઘટનાની નિંદા કેમ નથી કરી તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ADVERTISEMENT
ભારત પર હત્યાનો આરોપ
રિપોર્ટ અનુસાર તરારે કહ્યું, વૈશ્વિક આતંકવાદમાં ભારતની સંડોવણી બધાને ખબર છે અને અમારી ધરતી પર તેની આતંકવાદી પ્રવૃત્તિઓના પુરાવા અમારી પાસે છે. પાણી સંધિ અંગે તરારે કહ્યું, પાકિસ્તાન દ્વારા પાણી પુરવઠો બંધ કરવાના કોઈપણ નિર્ણયને અમે યુદ્ધની ઘોષણા તરીકે ગણીશું. તેમણે કહ્યું, પાકિસ્તાને હંમેશા પોતાની સાર્વભૌમત્વનું રક્ષણ કર્યું છે અને કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપ્યો છે.
વધુ વાંચો : ભારત-ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન ફાઇટર જેટ માટે ડીલ પર હસ્તાક્ષર કરશે
નોંધનીય છે કે, 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ પહેલગામના બૈસરનમાં ખીણોનો આનંદ માણી રહેલા 26 પ્રવાસીઓને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આ હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓ પણ સામેલ હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.