બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'ત્રણ વાર કલમાં બોલ્યા અને જે હિંદુ હતા તેને...', મૃતક શૈલેષ કળથિયાના દીકરાએ જણાવી આપવીતી
Last Updated: 11:16 AM, 24 April 2025
Pahalgam Terror Attack : કાશ્મીર આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ દેશભરમાં શોકનો માહોલ છે. આ બધાની વચ્ચે આજે સુરતના મૃતક શૈલેષ કળથિયાના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મૃતક શૈલેષભાઈના પુત્રએ મીડીયા સમક્ષ વાતચીત કરી હતી. મૃતક શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે કહ્યું કે, હિંદુઓ અને મુસ્લિમ અલગ થઈ જાઓ કહી આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. નોંધનીય છે કે, આજે શૈલેષ કળથિયાના અગ્નિ સંસ્કારમાં પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ADVERTISEMENT
મૃતક શૈલેષભાઈના પુત્રએ મીડીયા સમક્ષ કરી વાતચીત
પહેલગામ હુમલાના મૃતક શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, કાશ્મીરતો બહુ સરસ છે, અમે પહેલગામ ગયા હતા. ત્યાં ઘોડાથી જવાનું હોય છે. અમે ત્યાં ગયા બાદ 10-15 મિનિટમાં તે આતંકવાદીઓ આવી ગયા. જેથી અમે લોકો ભાગી ગયા અને સંતાઈ ગયા. આતંકવાદીઓએ અમને શોધી લીધા. અમને તો ટોટલ 2 જ આતંકવાદી જોવા મળ્યા હતા. એકે કહ્યું કે, મુસલમાન અલગ થઈ જાઓ અને હિન્દુ અલગ થઈ જાઓ. અને પછી હિન્દુ પૂરુષ ને બંદૂકથી ગોળી મારી દીધી. અને પછી અચાનકથી તે ગાયબ થઈ ગયા. પછી બધાએ કહ્યું કે, જે-જે બાળકો છે ભાગો નીચે. પછી અમે નીચે ભાગી ગયા. મમ્મી અને બહેને મને ઘોડા પર બેસાડી દીધો અને હું ઘોડાથી નીચે આવ્યો અને મમ્મી અને બહેન ઉતરીને નીચે આવ્યા હતા.
ADVERTISEMENT
કલમાં-કલમાં બાદ આતંકવાદીઓ તૂટી પડ્યા
આ તરફ જ્યારે આ બાળક નક્ષને ત્યાંની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, મને લાગ્યું કે આજે તો ગયા.. આ સાથે તેણે કહ્યું કે, આતંકવાદીઓ કલમાં-કલમાં બોલી રહ્યા હતા. મુસલમાનોને તો તેમની ભાષા આવડતી જ હોય તેઓ 3 વખત કલમાં બોલ્યા....અને જે હિન્દુ હતા તેમણે શુટ કરી દીધા. આ બાળકે કહ્યું કે, અમે તો બે આતંકવાદી જોયા હતા. અમે લોકો 20-30 વ્યક્તિ હતા.
વધુ વાંચો : મૃતક શૈલેષ કળથિયાની અંતિમ યાત્રા નીકળી, પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ
એ સમયે ભગવાન યાદ આવી ગયા
મૃતક શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે કહ્યું કે, આતંકવાદીઑ અને અમારી વચ્ચે 2-3 ફૂટનું જ અંતર હતું. અમે બધા ભગવાનને યાદ કરવા લાગ્યા હતા. આ સાથે આ બાળકે સરકારને લઈ કહ્યું, આટલો મોટો આતંકવાદી હુમલો થયો પણ સરકારને કઈં ખબર જ નથી. નીચે આર્મીનો બેઝ છે તેમને ખબર જ નથી... બાળકે ગળગળા અવાજે કીધું કે, પહેલગામમાં આર્મી રાખો,.. મતલબ કે, 2-3 તો રાખો...
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.