બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'કાશ્મીર આપણું હતું અને આપણું જ રહેશે', પહેલગામ હુમલા બાદ અભિનેતાનો કડક સંદેશ
Last Updated: 12:39 PM, 26 April 2025
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી આખા દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ભયાનક ઘટના દરમિયાન 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. પહેલગામ આતંકી હુમલાની અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ કડક નિંદા કરી છે.
ADVERTISEMENT
આ બધાની વચ્ચે સુનીલ શેટ્ટીએ પણ એક કડક સંદેશ આપ્યો છે. હાલમાં જ બોલિવૂડ અભિનેતા લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2025ના સમારંભ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે તેમણે સૌને એકતા જાળવવાની અપીલ પણ કરી.
'કાશ્મીર હંમેશા આપણું રહેશે'
ADVERTISEMENT
શેટ્ટીએ કહ્યું, "અમારાં માટે માનવતાની સેવા એટલે ઈશ્વરની સેવા છે. સર્વશક્તિમાન બધું જોવે છે અને તેનો યોગ્ય જવાબ પણ આપે છે. હાલ આપણે ભારતીય તરીકે એકતા જાળવવાની જરૂર છે. આપણે એવા લોકોના જાળમાં ફસાવું ના જોઈએ જે ડર અને દ્વેષ ફેલાવવાની કોશિશ કરે છે, પરંતુ એકતા રાખવી જોઈએ. આપણે તેમને બતાવવું પડશે કે કાશ્મીર આપણું હતું, આપણું છે અને હંમેશા આપણું રહેશે. તેથી સૈના, નેતાઓ અને દરેક વ્યક્તિ આ પ્રયાસમાં જોડાયેલ છે."
સુનીલ શેટ્ટીનું કહેવું કે લોકો કાશ્મીરમાં રજાઓ મનાવવા જોઈએ
સુનીલ શેટ્ટીએ આગળ કહ્યું કે નાગરિકોએ કાશ્મીરમાં રજાની યોજના બનાવવી જોઈએ અને જણાવ્યું, " નાગરિક તરીકે એક કામ કરવું જોઈએ, આજથી નક્કી કરવું જોઈએ કે અમારી આગળની રજા કાશ્મીરમાં જ હશે, ક્યાંય બીજે નહીં. તેમને બતાવવું છે કે અમને ડર લાગતો નથી અને હકીકતમાં ડરવાની જરૂર પણ નથી."
Actor Sunil Shetty talks about kashmiri...#Kashmir_The_Crown_Of_INDIA
— All About Kashmir (@wakashmir) April 25, 2025
Kashmir_INDIA🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️ pic.twitter.com/VcZtnOyGHP
સુનીલ શેટ્ટીએ કાશ્મીરમાં અધિકારીઓ સાથે પણ વાત કરી છે
અભિનેતાએ જણાવ્યું કે હુમલા પછી તેમણે કાશ્મીરમાં અધિકારીઓ સાથે પણ સીધો સંપર્ક કર્યો હતો. સુનિલ શેટ્ટીએ કહ્યું, "મેં પોતે ફોન કરીને કહ્યું કે જો તમને લાગે કે અમારે ત્યાં પ્રવાસી તરીકે કે કલાકાર તરીકે શૂટિંગ માટે આવવું છે, તો અમે જરૂરથી આવશું. કાશ્મીરી બાળકોની કોઈ ભૂલ નથી."
આ પહેલા સલમાન ખાન, શાહરુખ ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, સોનૂ સૂદ, અનુપમ ખેર, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા અને અલ્લુ અર્જુને પણ આ આતંકી હુમલાની ઘટના પર આકસ્મિકતા અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
વધુ વાંચો: દિલ્હી હાઈકોર્ટે સંગીતકાર એ.આર. રહેમાનને ફટકાર્યો 2,00,00,000નો દંડ, જાણો શું છે કારણ
આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા
આતંકવાદીઓએ મંગળવારે, 22 એપ્રિલની બપોરે પહેલગામમાં પ્રવાસીઓના એક જૂથ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં આશરે 26 લોકોનાં મોત થયા હતા. લશ્કરની શાખા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' એ હુમલાની જવાબદારી લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.