બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'હું 10 ફૂટ હતો અને આતંકીએ મારી સામે જોયું પણ..', સાર્થકે CM ભૂપેન્દ્ર પટેલને આંખોદેખી વર્ણવી
Last Updated: 12:45 PM, 24 April 2025
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ કરેલા હુમલામાં 3 ગુજરાતી પ્રવાસીના મોત થયા, જેમાં ભાવનગરના પિતા-પુત્રના પણ મોત થયા. આજે ભાવનગરમાં યતિષભાઈ પરમાર અને સ્મિત પરમારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની અંતિમ વિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામેલ થયા હતા. મુખ્યમંત્રીએ બંને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને સંવેદના પાઠવી. કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા પણ અંતિમવિધિમાં જોડાયા.
ADVERTISEMENT
આતંકી હુમલા સમયે સ્મિતના ફોઈનો દીકરો સાર્થક નાથાણી પણ સાથે હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાર્થક સાથે પણ વાતચીત કરી. સાર્થક નાથાણીએ આંખોદેખી વર્ણવતા કહ્યું, અમે શ્રીનગરથી ફરવા જતા હતા, બે દિવસનો ફરવાનો પ્રોગ્રામ હતો, અમે ટિકિટ લઈને ઉપર ગયા. હું સ્મિત ભાઈ સાથે પાણીની બોટલ લેવા ગયો, પછી બધાએ પાણી પીધું. પછી ફોટો પાડ્યા, એટલામાં ફાયરિંગ થયું, પછી ઘડીક રોકાઈ ગયું. એટલે બધા ભાગવા લાગ્યા. મારા ફોઈને બધા ભાગવા માંડ્યા, હું પણ ભાગવા માંડ્યો, ફૂવા પણ આવતા જ હતા, પણ તેમને ગોળી વાગી ગઈ. એટલે સ્મિત ત્યાં ઉભો રહી ગયો, તો તેને પણ ત્યાં સાવ નજીકથી આવીને મારી નાખ્યો. હું થોડોક 10 ફૂટ દૂર હતો. આતંકીએ મારી સામે જોયું પણ હું દિવાલ પાછળ સંતાઈ ગયો.
ADVERTISEMENT
સાર્થકે કહ્યું કે ત્યાં 300-400 જણા હતા, પણ આર્મીની સિક્યોરિટી ન હતી. અડધો કલાક રહીને આર્મી આવી, હું મારા ફોઈને નીચે ઉતારીને લાવ્યો ત્યારે આર્મી મને સામે મળી. હું સ્મિતને મેઈન ગેટ પાસે ઢહેળીને લઈ આવ્યો, એને સેફ રાખવા માટે. મારો તો બચાવ મેં ખુદે કર્યો, મારા ફોઈને પણ મેં બચાવ્યા, મેં મારા ફોઈને ઘોડા પર બેસાડીને નીચે ઉતાર્યા. ચારેય કોરથી ફાયરિંગ થતું હતું. અમે ગેટ આગળ જ હતા. પહેલા બે વાર ફાયરિંગ થયું, પછી બધા પર ગોળીબાર કરવા લાગ્યા. જેમાં મારા ફૂવા અને મારા સ્મિત ભાઈનું અવસાન થઈ ગયું."
આ પણ વાંચો: મૃતકની પત્નીનો આક્રોશ, પાટીલ સામે જ સરકાર અને સેના પર ઠાલવી હૈયાવરાળ
તેણે વધુમાં કહ્યું કે ત્યાં આ ઘટના ઘટવાનું મોટું કારણ એ હતું કે ત્યાં આર્મી ન હતી. બધું પબ્લિક જ હતું. જયારે ગનનો અવાજ આવ્યો અને લોકોને ગોળીઓ વાગવા લાગી તો બધા જ ભાગવા લાગ્યા. હું પણ મેઈન ગેટમાંથી ભાગી નીકળ્યો. હું અડધે નીચે પહોંચ્યો પછી ઘોડીવાળા લોકલ માણસો આવ્યા. મુખ્યમંત્રી સાથે થયેલી વાતચીત અંગે સાર્થકે જણાવ્યું કે મુખ્યમંત્રીએ આ બધાનો ઉકેલ જલ્દી લાવવાની વાત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.