બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલગામ હુમલા વચ્ચે ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીર / પહેલગામ હુમલા વચ્ચે ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

Last Updated: 12:20 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Udhampur Encounter : ઉધમપુરના દુડ્ડુ-બસંતગઢ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ

Udhampur Encounter : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે ઉધમપુરથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હાલ સેના અને પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સેનાની ઘણી ટીમો સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ કામગીરી ચલાવી રહી છે. આ દરમિયાન જમ્મુ પોલીસ પણ તેમની સાથે હાજર છે. આ દરમિયાન સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે. જમ્મુ પોલીસના જણાવ્યા અનુસાર, ઉધમપુરના દુડ્ડુ-બસંતગઢ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આમાં એક સૈનિક શહીદ થયો છે.

સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સેના પર ગોળીબાર કર્યો જેના જવાબમાં સેના પણ સતત ગોળીબાર કરી રહી છે. એવું માનવામાં આવે છે કે, સેનાએ અહીં બે થી ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસા આ કદાચ એ જ આતંકવાદીઓનું જૂથ છે જે તાજેતરમાં રામનગર વિસ્તારમાં ટ્રેક કરવામાં આવ્યું હતું. આ 3 પાકિસ્તાની આતંકવાદી હોઈ શકે છે. આ એન્કાઉન્ટરમાં બંને બાજુથી ગોળીબારનો અવાજ સમયાંતરે આવી રહ્યો છે. ઘટનાસ્થળે ભારે ફોર્સ હાજર છે.

વધુ વાંચો : ભારતની સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, પાકિસ્તાની ઓફિશિયલ એક્સ અકાઉન્ટ પર લગાવ્યો બેન

ભારતીય સેના એક્શન મોડમાં

આ સાથે ઘણા પોલીસ કર્મચારીઓ પણ સેના સાથે છે. પહેલગામ હુમલા બાદથી ભારતીય સેના એલર્ટ મોડ પર કામ કરી રહી છે. આ જ કારણ છે કે છેલ્લા 24 કલાકમાં સેનાની આ બીજી કાર્યવાહી છે. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં ખીણમાં 100 થી વધુ આતંકવાદીઓ સક્રિય છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી સેના કમાન સંભાળી રહી છે. બુધવારે (23 એપ્રિલ) ના રોજ, સુરક્ષા દળોએ બારામુલ્લામાં મોટી સફળતા મેળવી. સુરક્ષા દળોએ અહીં નિયંત્રણ રેખા (LoC) નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ દરમિયાન સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી બે AK શ્રેણીની રાઇફલ, ચાઇનીઝ પિસ્તોલ અને 10 કિલો IED અને અન્ય સામગ્રી જપ્ત કરી. અહેવાલ છે કે આ આતંકવાદીઓ ખીણમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ સેનાના જવાનોએ તેમને ઠાર માર્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Udhampur soldier martyred Pahalgam Terror Attack
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ