70 વર્ષથી એક પણ રુપિયો લીધા વગર વિદ્યાર્થીઓને ભણાવતા હતા
104 વર્ષના નંદા પ્રસ્ટી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેઓ તાવ, ખાંસી અને વૃદ્ધાવસ્થા સંબંધિત બીજી બીમારીઓથી પીડિત હતા. આને કારણે શિક્ષક નંદા પ્રસ્ટીને 29 નવેમ્બરે ઓડિશાના જાજપુર જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
પ્રધાનમંત્રી મોદીએ નંદા પ્રસ્ટીના નિધન પર શોક વ્યક્ત
પ્રધાનમંત્રી મોદીએ પદ્મ પુરસ્કાર નંદા પ્રસ્ટીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે શ્રી નંદા પ્રીતિજીના નિધનથી આઘાતમાં છું. ઓડિશામાં શિક્ષણની ખુશીઓ ફેલાવવાના તેમના પ્રયાસોને કારણે ઘણુ સન્માન પામેલા નંદા સરને પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. થોડા સમય પહેલા તેમણે પદ્મ પુરસ્કાર સમારોહમાં દેશનું ધ્યાન અને સ્નેહ આકર્ષિત કર્યું હતું. શાંતિ.
Pained by the demise of Shri Nanda Prusty Ji. The much respected “Nanda Sir” will be remembered for generations due to his efforts to spread the joys of education in Odisha. He drew the nation’s attention and affection a few weeks ago at the Padma Awards ceremony. Om Shanti. pic.twitter.com/VUpyPWP9FP
70 વર્ષથી એક પણ રુપિયો લીધા વગર વિદ્યાર્થીઓને ભણાવતા હતા
ઓડિશાના રહેવાશી નંદ કિશોર પ્રુસ્ટી વ્યવસાયે શિક્ષક હતા અને તેઓ 70 વર્ષથી એક પણ રુપિયો લીધા વગર વિદ્યાર્થીઓને ભણાવતા હતા. શિક્ષણના ભેખધારી એવા પ્રુસ્ટીને તાજેતરમાં રાષ્ટ્રપતિના હાથે પદ્મ પુરસ્કાર મળ્યો હતો. તેમનું ભણતર અધુરુ રહ્યું હતુ અને તેઓ ફક્ત સાત ધોરણ સુધી ભણ્યા હતા પરંતુ તેમણે બાળકોને સાક્ષર બનાવવાનો નિર્ણય કર્યો હતો.