ડોક્ટર કેકે અગ્રવાલ એક સારા કાર્ડિયોલોજિસ્ટના લિસ્ટમાં સામેલ હતા. છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલેટર પર ટ્રીટમેન્ટ લીધા બાદ કોરોનાના કારણે AIIMSમાં છેલ્લા શ્વાસ લીધા.
IMAના પૂર્વ નિર્દેશક અને પધ્મશ્રી ડો. કેકે અગ્રવાલનું નિધન
AIIMSમાં લીધા છેલ્લા શ્વાસ
કોરોનાની ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા અને વેન્ટિલેટર પર હતા
IMAના પૂર્વ નિર્દેશક અને પધ્મશ્રી ડો. કેકે અગ્રવાલનું સોમવારે એઈમ્સમાં નિધન થયું છે. કોરોના સામે લાંબી લડાઈ બાદ તેઓ હારી ગયા હતા. 62 વર્ષના ડોક્ટર છેલ્લા કેટલાક સમયથી સારવાર દરમિયના વેન્ટિલેટર પર હતા. હર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ હતા અને 2005માં ડો. બીસી રોય પુરસ્કારથી સમ્માનિત પણ કરાયા હતા.
એક વર્ષથી કોરોના મહામારીના વીડિયો પોસ્ટ કરી રહ્યા હતા
IMAના પૂર્વ નિર્દેશક અને પધ્મશ્રી ડો. કેકે અગ્રવાલ છેલ્લા 1 વર્ષથી કોરોના મહામારીને લઈને વીડિયો પોસ્ટ કરી રહ્યા હતા. તેમાં કોરોના મહામારીના મેનેજમેન્ટ અને અલગ અલગ વિષયો પર વાત કરાઈ છે.તેમના ટ્વિટર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે તેઓએ સોમવારે રાતે 11.30 મિનિટે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
पद्म श्री पुरस्कार से सम्मानित और इंडियन मेडिकल एसोसिएशन (IMA) के पूर्व अध्यक्ष डॉ. के.के. अग्रवाल का सुबह 12 बजे कोरोना वायरस से निधन हो गया: एम्स के अधिकारी #COVID19
લોકોને મહામારીથી જાગૃત કરવામાં હતું મોટું યોગદાન
મહામારી સમયે તેઓએ લોકોને જાગરૂક કરવાની તમામ શક્ય કોશિશ કરી હતી. અનેક વીડિયો અને સંદેશની મદદથી 100 મિલિયન લોકો સુધી પહોંચ્યા હતા. તેઓએ અનેક લોકોના જીવ બચાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે તેમના જીવનને ઉત્સવ બનાવવામાં આવે, શોક નહીં.