આજે ઘરે ઘરે જોવા મળતી ORS ને બનાવનાર ડો.દિલીપ મહાલનાબીસને મોદી સરકારે આપ્યું ખાસ સન્માન, પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત
ORSની શોધ કરનાર ડો.દિલીપ મહાલનાબીસને પદ્મ સન્માન
આજે ઘરે ઘરે જોવા મળતી ORS ને બનાવનારને સરકારે આપ્યું સન્માન
દર વર્ષે 5 કરોડ લોકોના જીવ બચાવે છે ORS, 1971માં થઈ હતી લોકપ્રિય
ભારતના 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ યાદીમાં 106 લોકોના નામ સામેલ છે. જેમાંથી 6ને પદ્મ વિભૂષણ, 9ને પદ્મ ભૂષણ અને 91ને પદ્મશ્રી આપવામાં આવશે. આ યાદીમાં 19 મહિલાઓના નામ પણ સામેલ છે. એટલું જ નહીં આ યાદીમાં ડો.દિલીપ મહાલનાબીસનું નામ પણ સામેલ છે. નોંધનીય છે કે, ડો.દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. દિલીપ મહાલનાબીસે 1971ના યુદ્ધ દરમિયાન ORS (ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન)ના ઉપયોગને પ્રોત્સાહન આપીને હજારો લોકોના જીવન બચાવ્યા હતા.
ડો. દિલીપ મહાલનાબીસે ORSની શોધ કરી હતી. મહત્વનું છે કે, તેને 20મી સદીની સૌથી મહત્વપૂર્ણ તબીબી શોધ માનવામાં આવે છે. તે વિશ્વભરમાં દર વર્ષે 50 મિલિયન લોકોના જીવન બચાવે છે. ડો. દિલીપ બાળરોગ નિષ્ણાત હતા. તેમણે 1966માં ORS પર કામ કરવાનું શરૂ કર્યું. ઓઆરએસના ઉપયોગને પ્રોત્સાહન આપવા બદલ ડો. મહાલનાબીસનને આ સન્માન એનાયત કરવામાં આવશે. ઓક્ટોબર 2022માં મહાલનાબીસનું કોલકાતામાં અવસાન થયું હતું.
Late SP patron Mulayam Singh Yadav, musician Zakir Hussain, late ORS pioneer Dilip Mahalanabis and S M Krishna to receive Padma Vibhushan. pic.twitter.com/EAXvFHw3Q9
ORSના ઉપયોગને પ્રોત્સાહન આપીને સેંકડો જીવન બચાવ્યા
1971માં જ્યારે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં લોકો પશ્ચિમ બંગાળ આવી રહ્યા હતા. આ લોકો પશ્ચિમ બંગાળમાં રાહત શિબિરોમાં રહેતા હતા. તે દરમિયાન કેમ્પમાં કોલેરા ફેલાઈ ગયો. ઘણા શરણાર્થીઓ બીમાર પડ્યા પછી ડો. દિલીપ મહાલનાબીસે ORS ના ઉપયોગને પ્રોત્સાહન આપીને સેંકડો જીવન બચાવ્યા. આ પછી ORSને સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મળી. ORS એ કોલેરા રોગચાળા દરમિયાન મૃત્યુદરમાં ઘટાડો કરીને 'સંજીવની' તરીકે કામ કર્યું છે.
ORS એ વિશ્વને ભારતની ભેટ
ORS એ વિશ્વને ભારતની ભેટ તરીકે ગણવામાં આવે છે. ORS વિશ્વભરમાં દર વર્ષે પાંચ કરોડ લોકોના જીવન બચાવે છે. આ એક ખૂબ જ સસ્તો અને અસરકારક ઉપાય છે. ઓઆરએસના ઉપયોગને કારણે કોલેરા અને ઝાડાથી થતા મૃત્યુમાં 93% ઘટાડો થયો છે. ORS નો ઉપયોગ ખાસ કરીને બાળકો અને નવજાત શિશુઓના જીવન બચાવવા માટે અસરકારક છે.
કોણ છે ડો. દિલીપ મહાલનાબીસ?
દિલીપ મહાલનાબીસનો જન્મ 1934માં કિશોરગંજ (બાંગ્લાદેશ)માં થયો હતો. તેઓ 1958માં કલકત્તા મેડિકલ કોલેજમાંથી પાસ આઉટ થયા. આ પછી તે મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન તરીકે જોડાયા હતા. જ્યારે બ્રિટિશ સરકારે નેશનલ હેલ્થ સર્વિસ શરૂ કરી ત્યારે તેને દવાનો અભ્યાસ કરવાની તક આપી. લંડન અને એડિનબર્ગમાંથી બે ડિગ્રી મેળવ્યા પછી તેઓ બાળકો માટે ક્વીન એલિઝાબેથ હોસ્પિટલના રજિસ્ટ્રાર બનનાર પ્રથમ ભારતીય બન્યા હતા.