ગુજરાતમાં હાલ મોરારીબાપૂનો કૃષ્ણ વિવાદ અંગે તેઓ દ્વારકા માફી માંગવા આવ્યા હતા ત્યારે ત્યાં તેમના પર ભાજપના પૂર્વ ધારાસભ્યએ હૂમલો કરવાની કોશિશ કરી હતી જેને પગલે સંત સમાજથી લઈને તમામ લોકોમાં પૂર્વ ધારાસભ્ય પબુભા ઉપર ફટકાર વરસી રહી છે. તેમના આ દુસાહસને લઈને સંતસમાજ મેદાને આવ્યો છે.
મોરારિ બાપુ પર હુમલાના પ્રયાસના મામલે cm મોદી કરી આકરી ટીકા
કૃષ્ણ ભગવાન અંગે નિવેદન બાદ ભારે વિરોધ સર્જાયો હતો. ત્યારે બે વખત માફી માંગ્યા બાદ મોરારિ બાપુ દ્વારકા આવીને દ્વારકાધીશની માફી માંગવા માટે આવ્યા હતા. આ દરમિયાન પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ થતા ભારે ઉહાપોહ થયો હતો. મોરારિ બાપુ તાત્કાલીક ત્યાંથી નીકળી ગયા હતા આ મામલામાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આ સંત સમાજે બાપુનો પક્ષ લઈને મોરચો માંડ્યો છે. CM રૂપાણી સહિતના નેતાઓએ પણ આ અંગે ખેદ વ્યક્ત કર્યો છે.
મોરારી બાપુ પર થયેલ હુમલાના પ્રયાસ પર અહેમદ પટેલેે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, હું શ્રી મોરારી બાપુ પર થયેલા હુમલાની નિંદા કરું છું. કોઈ બીજાના દૃષ્ટિકોણથી અસંમત થઈ શકે છે , પરંતુ હિંસાને આપણા સમાજમાં કોઈ સ્થાન નથી.
I condemn the attack on Shri Morari Bapu. One may disagree with other’s point of view but violence has no place in our society
મોરારી બાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાને આહિર સમાજે વખોડી છે. આહીર સમાજના નેશનલ ડેલીગેટ મેહુલ ચન્દ્રાવાડીયાએ આ ઘટનાને શરમજનક ગણાવી છે. તેમણે જણાવ્યું છે કે, પબુભા માણેકે આહીર સમાજની એકતાને તોડવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના આહિર સમાજની ગરિમાને હાનિ પહોંચાડનાર છે.
CM રૂપાણીએ પણ ઘટનાને વખોડી
મોરારિબાપુ પર હુમલાના પ્રયાસ મામલે સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું. સીએમ રૂપાણીએ કહ્યું કે ગણમાન્ય સંત મોરારિબાપુ સાથે થયેલી ઘટનાને હું વખોડું છું. દ્વારકામાં થયેલી ઘટનાને કડક શબ્દોમાં વખોડું છું. મોરારિબાપુએ દ્વારકાધીશના દર્શને આવી માફી માંગી લીધી છે. દ્વારકાધીશ અને સમગ્ર આહીર સમાજની માફી માંગી લીધી છે. ત્યારે તેમના પર એ જ વાતને લઈ કરાયેલો હુમલનો પ્રયાસ નિંદનીય છે.
જૂનાગઢમાં પણ વિરોધ
મોરારિ બાપુ પર હુમલાના પ્રયાસના મામલે જીગજીવન દાસ બાપુ મહામંડલેશ્વર મહારાજનુ નિવેદન આવ્યું છે. હુમલાના પ્રયાસને લઇ સાધુ-સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદન આપી વિરોધ નોંધાવશે.
મોરારીબાપુ પર થયેલ હુમલા પ્રયાસનો મામલો
જામનગરમાં વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પબુભાના કૃત્યને રાક્ષસી ગણાવી વિરોધ દર્શાવ્યો હતો. માફી ન માંગે તો સાધુ સમાજ રસ્તા પર આવશે.
રાજકીય નેતા સામે પોલીસ ફરિયાદની માંગ કરી હતી. કલેકટર અને SPને આવેદન પાઠવી રજૂઆત કરી છે.
શું હતો મામલો
ભગવાન શ્રી કૃષ્ણ પર કરેલા વિવાદીત નિવેદનને લઈ આજે મોરારીબાપુ દ્વારકામાં દર્શન માટે આવ્યા હતા અને મીડિયા સમક્ષ પોતાના નિવેદન બદલ ખેદ વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા પબુભા માણેકે તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો