પાસ નેતા અલ્પેશ કથીરિયાને જેલમાંથી મુક્તિ મળી છે. 5 મહિના બાદ અલ્પેશ કથીરિયાની જેલમાંથી મુક્તિ થઇ છે. કથીરિયાને રાજદ્રોહ કેસમાં જામીન મળતા જેલમુક્તિ થઇ છે.
હાઇકોર્ટે અલ્પેશ કાથીરિયાની જેલમુક્તિ થતા લાજપોર જેલમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવકો ઉમટ્યા છે. હાઇકોર્ટે અલ્પેશ કથીરિયાને શરતી જામીન આપ્યા છે. 6 મહિના સુધી સુરત જિલ્લાની હદ બહાર રહેવાની શરત સાથે જામીન આપવામાં આવ્યાં છે.
મહત્વનું છે કે, રાજદ્રોહ કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા હતા. હાઇકોર્ટે 6 માસ સુધી સુરતમાં નહીં પ્રવેશવાની શરતે જામીન આપ્યા હતા. હાઇકોર્ટે આપેલી બાંહેધરીનું પાલન કરવાની શરત પર અલ્પેશના જામીન મંજૂર કરાયા હતા. જેથી 5 મહિના બાદ અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ થઇ છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયાને 6 મહિના સુધી સુરતમાં નહીં પ્રવેશવાની શરત સાથે જામીન આપ્યા હતા. સુરત પોલીસે રાજદ્રોહના કેસમાં આરોપી એવા અલ્પેશ કથીરિયાની 18 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી.
આ પહેલા પોલીસ સાથે ગેરવર્તન બાદ પોલીસે રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી માન્ય રાખીને અલ્પેશના જામીન રદ કરી દીધા હતા. ત્યારથી શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ ભૂગર્ભમાં હતો ત્યાર બાદ એક લગ્નમાં હાજરી આપવા ગયેલ અલ્પેશની ધરપકડ કરી હતી.
અલ્પેશ કથિરીયાની 3 વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. ત્રણ વર્ષ જૂના રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરીયા વોન્ટેડ હતો. હાર્દિકના ઉપવાસ માટે અમદાવાદમાં આવેલા અલ્પેશ કથિરીયાને હાર્દિક પટેલના ઘરેથી બહાર નીકળતા જ ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી હતી. ત્યારે હવે તેની જેલમુક્તિ થઇ છે.